નાણા મંત્રીએ એમએસએમઈને મોટી રાહત આપતા જાહેરાત કરી છે કે જે એમએસએમઈનું વાર્ષિક ટર્નઓવર 3 કરોડ રૂપિયા સુધી છે. તેમને ટેક્સ છૂટ આપવામાં આવશે. સાથે જ 75 લાખ કમાણી કરનાર પ્રોફેશનલને પણ ટેક્સમાં છૂટ આપવામાં આવશે.
એમએસએમઈને મોટી રાહત
3 કરોડ ટર્નઓવર સુધી મળશે ટેક્સ છૂટ
75 લાખ કમાણી કરનાર પ્રોફેશનલને પણ ટેક્સ છૂટ
નાણામંત્રીએ સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં દેશભરના લગભગ 6 કરોડ નાના વ્યાપારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે દેશભરના એમએસએમઈને 2 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. નવી સ્કીમ હેઠળ આ લોન 1 ટકા ઓછા વ્યાજ પર મળે છે. બેંક સરળતાથી આ લોન આપે તેના માટે સરકાર ગેરેન્ટર બનશે.
3 કરોડ સુધીના ટર્નઓવર સુધી ટેક્સ છૂટ
નાણા મંત્રીએ એમએસએમઈને મોટી રાહત આપતા જાહેરાત કરી છે કે જે એમએસએમઈનું વાર્ષિક ટર્નઓવર 3 કરોડ સુધી છે. તેમને ટેક્સ છૂટ આપવામાં આવશે. સાથે જ 75 લાખ કમાણી કરનાર પ્રોફેશનલને પણ ટેક્સ છૂટ આપવામાં આવશે.