બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / modi cabinet expansion latest updates

કેબિનેટ વિસ્તરણ / મોદી કેબિનેટના વિસ્તારને લઈને દિલ્હીમાં ભારે હલચલ : જાણો કયા નેતાઓ PMના નિવાસ સ્થાને પહોંચ્યા

ParthB

Last Updated: 12:55 PM, 7 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે થશે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.

  • કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે
  • ગુજરાતથી કિરીટ સોલંકી પહોંચ્યા દિલ્હી
  • ગુજરાતના નેતાને લોટરી લાગે તેવી અટકળો!

કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે
કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે થશે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. સાથે જ આગામી વર્ષમાં જે જે રાજ્યોમાં વિધાનસભાન ચૂંટણી થવાની છે તેની અસર પણ આ કેબિનેટ વિસ્તરણમાં પડી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, અજય ભટ્ટ, કપિલ પાટિલ, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ, નારાયણ રાણે, મીનાક્ષી લેખી, શોભા કરાંડલજે, અનુપ્રિયા પટેલ, હિના ગાવીત, અજય મિશ્રા PM આવાસ પર પહોંચી ગયા છે. 

ગુજરાતથી કિરીટ સોલંકી પહોંચ્યા દિલ્હી 
પીએમ મોદીના બીજા કાર્યકાળનો આ પહેલો મંત્રી પરિષદ વિસ્તાર થવાનો છે. ત્યારે ગુજરાતના 2 નેતાઓના નામ પણ નવા મંત્રી મંડળમાં ચર્ચામાં છે, જેમાં ગુજરાતમાંથી સાંસદ કિરીટ સોલંકી તથા સાંસદ જુગલ ઠાકોરનો સમાવેશ કરવામાં આવી શકે છે. તો સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, કિરીટ સોલંકી દિલ્હી પહોંચ્યા છે. 

ઓબીસી વર્ગથી કુલ 24 મંત્રી રહેશે
મીડિયા સૂત્રોના જણાવ્યાનુસાર પછાત વર્ગના કુલ મળીને 24 મંત્રીઓને જગ્યા મળશે. આની પાછળની યોજના નાના સમુદાયોને પ્રતિનિધિત્વ આપવાની છે.

ગુજરાતના નેતાને લોટરી લાગે તેવી અટકળો!
હાલના મંત્રીઓમાંથી કેટલાક નેતાઓને પ્રમોશન આપવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.  હાલ પ્રમોશન નેતાઓમાં 3 નેતાઓના નામ આગળ છે. એમ ચર્ચાઇ રહ્યું છે કે પરષોત્તમ રૂપાલાનું મંત્રી મંડળમાં કદ વધશે. ગુજરાતથી પરષોત્તમ રૂપાલાને મંત્રી મંડળમાં પ્રમોશન અપાશે. 
અનુરાગ ઠાકુર અને જી કિશન રેડ્ડીનું મંત્રી મંડળમાં કદ વધશે સાથે જ અનુરાગ ઠાકુરને રાજ્ય મંત્રી તરીકે સ્વતંત્ર પ્રભાર અપાશે, આ નિર્ણય એ માટે લેવાય શકે છે કારણકે હિમાચલમાં આગામી ચૂંટણીમાં તેની અસર પડે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cabinet Minister PM modi modi cabinet  કેબિનેટ બેઠક પીએમ મોદી Modi Cabinet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ