મોબાઇલ નંબરની પોર્ટેબિલિટી કરાવવી ગ્રાહકો માટે જલ્દી સરળ થઇ જશે. દૂરસંચાર નિયામક ટ્રયે પોર્ટેબિલિટીમાં ફેરફારથી જોડાયેલ ડ્રાફ્ટ નિયમન આજે જારી કરી દીધો છે.
એના લાગૂ થવા પર ટેલિકોમ કંપનીઓ માટે પોર્ટેબિલિટીની સુવિધાને નિર્ધારિત 72 કલાકમાં પરિણામ આપવું પડશે. સાથે જ ખોટા આદારો પર નંબર પોર્ટ કરાવવાના આવેદનને અસ્વીકાર કરવા પર ટેલિકોમ કંપનીઓ પર 10 000 રૂપિયા સુધીનો દંડ લાગશે.
ટ્રાઇ પોર્ટેબિલિટીની સુવિધાથી જોડાયેલા નિયમ 23 સપ્ટેમ્બર 2009થી જારી કર્યા હતા. એમાં સુધારા કરીને સામાન્ય જનતા માટે આ સુવિધા અને વ્યવસ્થાને સરળ કરવાનો પ્રયાસ નિયામક દ્વારા સંશોધન દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિવિધ ભાગીદારો સાથે ચર્ચા-વિચારણા બાદ ટ્રાઇએ સૂચનો અને ટિપ્પણીઓના આધાર પર સંશોધન અને ટિપ્પણીઓના આધાર પર સંશોધનનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને સાર્વજનિક મંતવ્ય માંગ્યા છથે.
એમાં પોર્ટેબિલિટી આવેદક પહેલા 24 કલાક સુધી આવેદનને પાછા લેવાની છૂટ ગ્રાહકોને પૂરી પાડવામાં આવશે. જો કે આવેદનના 72 કલાકમાં ટેલીકોમ કંપનીને પોર્ટેબિલિટી કરાવવી પડશે.