બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / MLA Madhu Srivastava wrote a letter to CM

વડોદરા / પગાર મળે તો ભ્રષ્ટાચાર અટકાવી શકાય : ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે CMને પત્ર લખી કરી આ ભલામણ

Kiran

Last Updated: 04:37 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલુકા, જિલ્લા, ગ્રામ પંચાયતોના સભ્યો અને સરપંચો ગરીબ હોય છે, તેમને પગાર મળે તો ભ્રષ્ટાચાર અટકાવી શકાય વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

  • MLA મધુ શ્રીવાસ્તવે CMને લખ્યો પત્ર
  • પંચાયતના સદસ્યોને વેતન આપવા માંગ
  • પગાર મળે તો ભ્રષ્ટાચાર અટકાવી શકાય

વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને આ વખતે પંચાયતના સદસ્યોને માનદ વેતન આપવા માંગ કરી છે.જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના સદસ્યોને વેતન આપવા માંગ કરી છે.મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મોટાભાગના સદસ્યોની આર્થિક સ્થિતિ નબળી હોય છે.વેતન નહીં મળવાથી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થાય છે આથી સદસ્યોને પગાર મળે તો ભ્રષ્ટાચાર અટકાવી શકાય છે.



 

પંચાયતના સદસ્યોને વેતન આપવા માંગ

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, લોકોના કામો માટે કચેરીએ આવતા સભ્યોની સ્થિતી આર્થિક રીતે નબળી હોય છે. માનદ વેતન કે ભથ્થુ નહીં મળવાથી ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતી થાય છે. તમામ તાલુકા, જિલ્લા અને ગ્રામ પંચાયતોના સદસ્યો અને સરપંચોને ઉચ્ચક પગાર મળે તો ભ્રષ્ટાચાર અટકાવી શકાય. મુખ્યમંત્રીને વિચારણા હેઠળ લેવા મારી ભલામણ છે અને આ મુદ્દે વિધાનસભામાં ચર્ચા કરવા વિનંતી છે.

પગાર મળે તો ભ્રષ્ટાચાર અટકાવી શકાય

મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મારા મત વિસ્તાર હેઠળની જિલ્લા પંચાયત સભ્યો,તાલુકા પંચાયતના સભ્યો તથા ગ્રામ પંચાયતના સરપંચો, સભ્યો કોઈ પણ પ્રકારના પગાર ભથ્થા કે માનદવેતન સરકાર તરફથી આપવામાં આવતા નથી.વધુમાં ધારાસભ્યએ કહ્યું હતું કે સરપંચો અતિ ગરીબ કક્ષાના હોય છે. તેઓની આર્થિક પરસ્થિતિ ખુબ જ નબળી હોય છે. જેના કારણે તાલુકા જિલ્લા કક્ષાએ સરકારી કચેરીઓમાં સમયસર જઈ શકતા નથી. તેમજ ગ્રામ્ય વિસ્તારની ગરીબ અને અભણ પ્રજા હોવાથી તેઓને સરકારી કચેરીઓમાં સરકારની વિવિધ યોજના ઓથી વાકેફ હોતા નથી. જેના કારણે છેવાડા ગામડા સુધી સરકારની યોજનાઓના લાભ મળતો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ