તામિલનાડુમાં રાજકારણ હવે ધીમે ધીમે પડખું ફરી રહ્યું છે અને ભાજપને તેમાં પોતાનો ફાયદો દેખાઈ રહ્યો છે. આવતા વર્ષે તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે અને એવામાં અમિત શાહ આજે ચેન્નઈ પહોંચ્યા છે જેને લઈને રાજ્યભરમાં રાજકારણ ગરમાયું છે.
તામિલનાડુના પ્રવાસે અમિત શાહ
રજનીકાંત અને અલાગીરીથી કરી શકે છે મુલાકાત
તામિલનાડુમાં ગરમાયું રાજકારણ
કરુણાનિધિના દીકરા અલાગીરી પોતાની જુદી પાર્ટી બનાવી લેશે તેવી ચર્ચા ખૂબ થઇ રહી છે. શાહ અહિયાં રજનીકાંતથી મુલાકાત કરવાના છે અને એવી ચર્ચા છે કે તે અલાગિરીથી પણ મુલાકાત કરી શકે છે.
તામિલનાડુમાં ચર્ચા છે કે ભાજપ અને અલાગિરી બંને ગઠબંધન કરી શકે છે આમ તામિલનાડુમાં અલાગીરી રાજકારણના કેન્દ્રમાં છે.
ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે રાજ્યમાં પ્રવાસમાં જાય છે તે રાજ્યમાં રાજકારણ ગરમાઈ જય છે. પાછલા દિવસોમાં તે બંગાળની યાત્રા પર હતા અને ત્યારે તે યાત્રાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી.
નોંધનીય છે કે અમિત શાહ આવી રહ્યા છે કે પરીયોજનાઓના શિલાન્યાસ માટે પરંતુ ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહના આ પ્રવાસ પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે.
ભાજપની પરિસ્થિતિ તામિલનાડુમાં કંઈ ખાસ નથી. વર્ષ 2016માં 232 બેઠકો પર ચૂંટણી થઇ હતી જેમાં એક પણ બેઠક ભાજપે જીતી નથી જ્યારે 2.86 ટકા જેટલા વોટ મળ્યા હતા. રાજ્યમાં પાર્ટીનું અસ્તિત્વ ઉભું કરવા માટે પાર્ટી પ્રયાસ કરી રહી છે.