બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ફાળવે છે. નવી શાળા બનાવવા માટે વપરાતાં રેતી અને સિમેન્ટમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.
નવી શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
સિમેન્ટ, રેતીની ગુણવત્તા ખરાબ હોવાનો દાવો
ગ્રામજનોએ શાળાનું બાંધકામ અટકાવ્યું
બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ફાળવે છે. પરંતુ ગ્રામ્ય લેવલે જે સુવિધાઓ મળવી જોઈએ તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. આવો જ કિસ્સો નવસારીના ચીખલી તાકુલામાં સામે આવ્યો છે. જ્યાં ગામ લોકોએ નવનિર્મિત શાળાનું બાંધકામ અટકાવ્યું છે. શા માટે.?
શાળા જર્જરિત થતાં નવી શાળાને મંજૂરી અપાઈ
દરેક બાળક ભણીગણીને આગળ વધે. તે હેતુથી સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે. પરંતુ ભ્રષ્ટાચારીઓ તેમાં પણ મુળિયા જમાવીને બેઠા છે. તમે જે વિરોધના દ્રશ્યો જોઈ રહ્યા છો. તે નવસારી જિલ્લામાં આવેલા રાનકુવા ગામની પ્રાથમિક શાળાના છે. જ્યાં શાળા જર્જરિત થતાં નવી શાળાને મંજૂરી અપાઈ છે. અને નવી શાળાનું બાંધકામ પણ શરૂ ગઈ ગયું છે. પરંતુ નવી શાળાનો પાયો નંખાતાની સાથે જ ગામ લોકોએ કામગીરી અટકાવી છે. શા માટે અટકાવી.
રેતી અને સિમેન્ટમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે
જુની શાળા જર્જરિત થતાં નવી શાળા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનું બજેટ ફાળવાયું છે. તેમ છતાં નવી શાળા બનાવવા માટે વપરાતાં રેતી અને સિમેન્ટમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. અને આ ભ્રષ્ટારને નરી આંખે જેતા સ્થાનિક ગ્રામજનો અને નેતાઓએ બાંધકામ અટકાવ્યું છે. સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી કાર્યવાહીની માગ કરી છે.
હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે
અહીં સવાલ એ થાય છે કે, લાખો રૂપિયાના બજેટ બાદ પણ ભ્રષ્ટાચાર કેમ? કેમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે? શું પૈસા પડાવવા માટે જ નવું બાંધકામ થઈ રહ્યું છે? કેમ અધિકારીઓને રેતી-સિમેન્ટની ગુણવત્તા ધ્યાને ન આવી.? સવાલો અનેક છે.. પરંતુ અહીં મુદ્દો સારી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે તેનો છે. આશા રાખીએ કે, વીટીવીના આ રિપોર્ટ બાદ સ્થાનિક તંત્ર આની નોંધ લેશે.