ભારતની ટેસ્ટ અને વનડે કેપ્ટન મિતાલી રાજે કહ્યું છે કે, તે રમેશ પોવાર સાથે શેર કરેલા અણગમા સંબંધોથી આગળ વધી ગઈ છે.
મહિલા ટીમની કપ્તાન મિતાલી રાજનું મહત્વનું નિવેદન
ફરીથી રમેશ પોવાર સાથે કામ કરવા માટે ઉત્સુક
વરિષ્ઠ બેટરને નાટકીય રીતે હટાવાયા બાદ બંન્નેના સંબંધમાં આવી હતી ખટાશ
2018 માં મહિલા ટી 20 વર્લ્ડ કપના સેમિ-ફાઇનલમાંથી વરિષ્ઠ બેટરને નાટકીય રીતે બાદ કરવામાં આવ્યા બાદ રાજ અને પોવાર વચ્ચેના સંબંધોમાં ખટાસ આવી ગઈ હતી. 2018માં ટ્વેન્ટી20 વર્લ્ડકપ ની સેમી-ફાઈનલ માં ભારત ની હાર બાદ રમેશ પોવાર ને મુખ્ય કોચ તરીકેની ભૂમિકાથી હટાવી દેવામાં આવ્યા હતા. જોકે આ મહિનાની શરૂઆતમાં જ રમેશ પોવારની ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી છે.
મિતાલી રાજે આપ્યું નિવેદન
મિતાલી રાજે જણાવ્યું કે તે ફરીથી રમેશ પોવાર સાથે કામ કરવા માટે ઉત્સુક છે. 2018ની ઘટના માંથી અમે બન્ને આગળ વધી ગયા છીએ અને અત્યારનો અમારો ધ્યેય નીજી પસંદ નાપસંદ કરતા આવનાર વર્ષમાં ન્યુજીલેંડ માં યોજાનારા વર્લ્ડકપ પર ટીમ ઇન્ડિયા પોતાનું સર્વશ્રેષ્ટ પ્રદર્શન કઈ રીતે આપી શકે તેના પર જ છે.
આપણે ભૂતકાળમાં જીવી ન શકીએ : મિતાલી
હાલમાં એક ઇન્ટરવ્યુમાં મિતાલીએ જણાવ્યું કે "આપણે ભૂતકાળમાં જીવી ન શકીએ. હું ઘણાં વર્ષોથી રમી રહી છું, મારા માં અહંકાર નથી અથવા હું મારી વ્યક્તિગત પસંદગીઓ અને નાપસંદો પર ધ્યાન આપતી નથી. મેં ક્યારેય આવું કર્યું નથી. અને 21 વર્ષ એ લાંબો સમય કેહવાય,તમે જાણો જ છો ઘણી પડકારોનો સામનો કરવો પડે છે જ્યારે ભારત તરફથી રમવાની વાત આવે છે, તમારા દેશની સેવા કરવા ની વાત માં વ્યક્તિગત મુદ્દાઓ પર હું ખરેખર કોઈ વજન નથી આપતી."
તે કોચ છે અને તેમની પાસે તેમની યોજનાઓ છે અને તે મહત્વનું છે કે ટીમને આગળ વધારવા માટે અમે બંને એક સમાન વિચારધારા ધરાવીએ છીએ . કારણ કે તેમનો લક્ષ્ય પણ એક જ છે કે વર્લ્ડ કપમાં ટીમ સારું પ્રદર્શન કરે અને તે ટીમમાં દરેકનું લક્ષ્ય છે, એમ તેમણે જણાવ્યું હતું.
મિથાલી રાજ એ વધુમાં જણાવ્યું કે,"આપણે કડવા નથી બની શકતા અને કડવાશ સહન કરી શકતા પણ નથી હું ક્યારેય કોઈ મુકાબલો કરતી નથી કે હું ભૂતકાળને વર્તમાનમાં જીવું . જો એવું હોત તો હું રમતમાં આટલા લાંબા સમય સુધી ટકી ન સકી હોત, કે જેમાં સદંતર બદલાવ અને મેહનત ની જરુર છે."
ટીમ ઇન્ડિયા હાલમાં મુંબઈમાં ક્વોરન્ટાઈન
આવનારા ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા હાલમાં મુંબઈમાં ક્વોરન્ટાઈન છે. આવતા વર્ષના વર્લ્ડકપ માટે આ ટુર ગણી મહત્વ ની ભૂમિકા ભજવશે. ભારતની પુરૂષ અને મહિલા ટીમ ચાર્ટર્ડ પ્લેન દ્વારા 3 જૂને ઇંગ્લેન્ડ પહોંચશે. ભારતની મહિલા ટીમ બ્રિસ્ટોલમાં 16 જૂનથી એક માત્ર ટેસ્ટ રમશે. તેઓ ઇંગ્લેન્ડમાં 3 વનડે અને તેટલી જ ટી -20 મેચ પણ રમશે.