નવસારીમાં કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશનો બફાટ સામે આવ્યો હતો. કેન્દ્રિય રેલ રાજ્ય મંત્રી દર્શના બહેન જરદોશ બુલેટ ટ્રેનના કાસ્ટિંગમાં રવિવારે પહોચ્યા હતા.ત્યારે એક સમારોહમાં સરદાર પટેલની 31 ઓક્ટોબરે જન્મજયંતિના બદલે પૂણ્યતિથી દિવસ જણાવી દીધો હતો.
નેતા-અભિનેતાઓના જીભ લપસવાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે.પરંતુ કેન્દ્રમાં રહેલા સુરતના સાંસદ અને રેલ રાજ્ય/કપડા મંત્રી પદે બિરાજિત દર્શના બહેન જરદોશે,આઝાદીના લડવૈયા અને દેશના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસને પૂણ્યતિથી દિવસ તરીકે ઓળખાવી દેતા, સમારોહમાં ઉપસ્થિત લોકો પોતાનું હાસ્ય રોકી શક્યા નહોતા.નવસારીમાં બુલેટ ટ્રેન સબંધિત એક કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
કેવડિયામાં અમિત શાહ
ગૃહમંત્રી અમિતશાહ સરદાર વલ્લભભાઈની જન્મ જયંતી પર એટલે કે એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે હાજર રહ્યા જ્યા તેઓ એકતા પરેડમાં શામેલ થયા હતા. જ્યા તેમણે સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર ફલ ચઢાવીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી.
પરંપરાને આગળ વધાવી
અમિત શાહે આ પ્રસંગે લોકોને કહ્યું કે સદિયોમાં કોઈ એક સરદાર બની શકે છે અને તે એક સરદાર સદિયો સુધી પ્રકાશ જીવંત રાખે છે. વધુમાં તેમણે કહ્યું કે સરકાર વલ્લભભાઈના જન્મ દિવસને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવાનું શરૂ કર્યું . જે પરંપરાને આજે આપણે આગળ વધાવી રહ્યા છે.
સંબોધનમાં ચાણક્યનો ઉલ્લેખ
ચાણક્યનો ઉલ્લેખ કરતા અમિત શાહ બોલ્યા કે તમણે દેશને એક કર્યો હતો. ત્યારબાદ સદિયો પછી સરદાર પટેલે દેશને એક કર્યા હતા. જેના કારણે ભારત આજે વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી ચુક્યો છે. વધુમાં તેમણે કહ્યું કે અંગ્રેજોની સામે પણ સરદાર પટેલે નેતૃત્વ કર્યું હતુંય. જેમા દરેક વાતને તેઓ અંગ્રેજો સામે નીડર થઈને મુકતા હતા જે તેમનું વ્યક્તિત્વ હતું.
ભારતને એક કરવાનું કામ સરદારે કર્યું : અમિતશાહ
આપને જણાવી દઈએ કે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહ આજે એવું પણ બોલ્યા કે સરદાર પટેલે ભારતને એક કરવાનું કામ કર્યું હતું. પરંતુ એ વાતનો તેમણે અફસોસ છે કે લોકોએ તેમને ભુલવાનો પ્રયાસ કર્યો હતો. સાથેજ તેઓ એવું પણ બોલ્યા કે આઝાદી પછી પણ તેમને યોગ્ય સન્માન અનવે સ્થાન ન મળ્યું.
વડાપ્રધાનની જગ્યાએ અમિતશાહ કેવડિયા ગયા
ઉલ્લેખનીય છે કે હાલ વડાપ્રધાન મોદી ઈટલીની રાજધાની રોમમાં ગયા છે. જેથી આ વખતે વડાપ્રધાનની જગ્યાએ ગૃહમંત્રી શાહ એકતા પરેડમાં શામેલ થયા હતા. આ પરેડમાં દરેક રાજ્યોની પોલીસે પરેડ કરી હતી. સાથેજ સીઆઈએસએફ અને બીએસએફની સાથે અન્ય ફોર્સ દ્વારા પણ પરેડ કરવામાં આવી હતી.