સી આર પાટીલ, ભરતસિંહ સોલંકીની મુલાકાત બાદ ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશ મેરજાએ નરેશ પટેલની મુલાકાત કરી
2022માં પાટીદારો પર કેમ સૌ કોઈની નજર?
પાટીલ બાદ ભરતસિંહની મુલાકાત શું સુચવે છે?
મંત્રી બ્રિજેશ મેરજા પણ મળ્યા ખોડલધામ નરેશને
રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા આજે રાજકોટની મુલાકાતે હતા. મેરજાએ ઉપલેટા ધોરાજીમાં કાર્યકર્તાઓને મળ્યા બાદ ખોડલ મંદિરે દર્શન કર્યા હતા...ઓમિક્રોનને લઈને મેરજાએ કહ્યુ કે રાજ્ય સરકાર આ અંગે સાબદું છે અને તૈયારીઓ કરી રહ્યુ છે. તેમજ વ્રાઈબ્રન્ટ સમિટના આયોજન અંગે જણાવતા કહ્યુ કે સમિટ અંગે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. જાણિતા બિઝનેસમેનોને આમંત્રણ આપી MOU કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ખોડલ ધામમાં દર્શન પછી બ્રિજેશ મેરજા ચેરમેન નરેશ પટેલ સાથે પણ મુલાકાત કરી હતી.
નરેશ પટેલ અમારા સમાજના નેતા છે અને રહેશે: મંત્રી બ્રિજેશ મેરજા
ગુજરાતના મંત્રી બ્રિજેશ મેરજા આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે હતા ઉપલેટા ધોરાજી માં ભાજપ ના કાર્યકરોને મળ્યા બાદ આજે તેવો બપોરે લેઉવા પટેલના આસ્થા કેન્દ્ર ખોડલધામ મંદિરે દર્શન કરવા પોહોંચ્યાં હતા, માં ખોડલ ના દર્શન કરી ને તેવોએ આશીર્વાદ લીધા હતા. ભરતસિંહે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ને કોંગ્રેસ માં જોડવાવા આમંત્રણ આપેલ તે બાબતે કહેતા કહ્યું હતું કે નરેશભાઈ પટેલ અમારા સમાજ ના માનનીય નેતા અને આગેવાન છે અને રહેશે.
પાટીદાર પર બંને પાર્ટીઓનો મદાર
2022ની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં રોજ નવા-નવા સમીકરણો સામે આવે છે.. તેમાં પણ પાટીદાર ફેક્ટર પર સૌકોઈની નજર મંડરાયેલી છે.. કારણ કે, 2022માં પાટીદારો પોતાના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.. તેવામાં ભાજપે તો પાટીદાર મુખ્યમંત્રી બનાવી પાટીદાર સમાજની વોટબેંકને આકર્ષવાનો પ્રયાસ કર્યો..
પરંતુ હવે કોંગ્રેસ પણ પાટીદાર વોટબેંક તરફ મીટ માંડીને બેઠી છે. અને ભરતસિંહ સોલંકીની નરેશ પેટલ સાથેની બેઠક બાદ તો રાજકીય હલચલ શરૂ થઈ ગઈ હતી જે બાદ આજે મંત્રી બ્રિજેશ મેરજા નરેશ પટેલની મળવા પહોંચતા અનેક તર્ક વિતર્કોએ મોટું રૂપ ધારણ કર્યું છે.