ગુજરાતમાં કોરોના સંકટ ચરમસીમાએ પહોંચ્યુ છે. કેન્દ્ર સરકારનો શ્રમિકોને તેમના વતન મોકલવાનો નિર્ણય રાજ્ય સરકારો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આજે વહેલી સવારથી જ ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના શહેરોમાં કલેક્ટર કચેરીઓ સામે શ્રમિકોની ભીડ જામી છે. લોકડાઉનની સ્થિતિમાં પણ આ શ્રમિકો આટલા મોટા પ્રમાણમાં અહીં કેવી રીતે પહોંચ્યા તે એક મોટો પ્રશ્ન છે. આ ભીડ કોરોનાના ફેલાવવામાં નિમિત્ત બનશે તો વિનાશ નોતરશે.
સુરતમાં શ્રમિકોનો હોબાળો
આ આટલી ભીડ લોકડાઉનમાં ક્યાંથી આવી?
અમદાવાદ કલેકટર કચેરીઓ પરપ્રાતિઓ થયા એક્ઠા
અમદાવાદ કલેકટર કચેરીઓ પરપ્રાતિઓ એક્ઠા થયા છે. વતન પરત જવા માટે મંજૂરી લેવા માટે મોટા પ્રમાણમાં પરપ્રાંતિયો એકઠાં થયા છે. મંજૂરી લેવામા RTO સર્કલ પાસે ભીડ જોવા મળી રહી છે.
સુરતમાં હજારો મજૂરો રોડ ઉપર
લોકડાઉન દરમિયાન સુરત શહેરમાં લોકો ઘરની બહાર નિકળ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા મનપા કામગીરી કરી રહી છે. ત્યારે લોકોએ ઘરની બહાર નિકળવાનું બંધ કર્યુ નથી. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે.
એક તરફ દિવસે દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ લોકો ઘરમાં રહેવાનું પણ પાળતા નથી. ત્યારે આજે શહેરના મજૂરા ગેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એક સાથે બહાર નિકળ્યા હતા. લોકો ઘરની બહાર નિકળતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.
કોરોનાથી નહીં અમે ભૂખ થી મરી જઈશું- શ્રમિકો
મહેસાણા કલેકટર કચેરી આગળ પર પ્રાંતીયનો હોબાળો કર્યો છે. યુપી-બિહારના પર પ્રાંતીયોએ હોબાળો કર્યો છે. વતન જવા પરવાનગી નહીં મળતા હોબાળો કર્યો છે. 200 જેટલા પર પ્રાંતીય કલેકટર કચેરી આગળ ધસી આવ્યા છે.
કલેકટર કચેરી આગળ બેસી કર્યા ધરણા
રાજકોટમાં કલેક્ટર ઓફિસ પહોચ્યુ શ્રમિકોનુ ટોળુ. કલેક્ટર કચેરીએ શ્રમિકો પાસ લેવા પહોચ્યા. કલેક્ટર કચેરી ખાતે સો.ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
સળગતા સવાલ
બિનગુજરાતી લોકો માટે કોઈ વ્યવસ્થા કેમ કરાતી નથી?
બિનગુજરાતી માટે તંત્રએ અત્યાર સુધી કેમ કામગીરી ન કરી?
લોકોને સમય આપીને કેમ બોલાવવામાં આવતા નથી?
શ્રમિકોને ભોજન અને દવાની પણ વ્યવસ્થા કેમ નથી કરાતી?
કંપનીના માલિકોએ પણ હાથ અધ્ધર કર્યા છે ત્યારે સરકાર શું કરે છે?
સરકારની જાહેરાત બાદ તંત્ર કેમ કામગીરી કરતા તૈયાર નથી?