દૂધ અને કેળું સાથે લેવુ સારુ છે કે ખરાબ? આ પ્રશ્ન હંમેશા લોકોને પજવતો હોય છે. કેટલાક લોકો કહે છે કે આ એક સારું કોમ્બીનેશન છે તો કેટલાક લોકો તેના કોમ્બીનેશનને હાનિકારક જણાવે છે. આ મામલે શુ છે ડાયટિશિયન્સની સલાહ જાણો આ એહેવાલમાં...
એક જાણીતા ડાયટિશિયને જણાવ્યુ કે અમે કોઈને પણ આ કોમ્બીનેશનની સલાહ આપતા નથી કેમકે આ અમારા શરીર માટે ખુબ નુક્સાનકારક હોય છે. જો તો પણ તમે બંન્નેનુ સેવન કરવા માંગો છો તો તમે પહેલા દૂધ પી શકો છો અને તેના 20 મિનિટ બાદ તમે કેળું ખાઈ શકો છો.
આયુર્વેદમાં પણ આ વાતને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દૂધ અને કેળાનું કોમ્બીનેશન સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડે છે. આ બંન્ને ચીજોનું એક સાથે સેવન ન કરવું જોઈએ. સારુ હશે કે પહેલા તમે દૂધ પી લો અને 20 થી 25 મિનિટ પછી કેળું ખાવુ જોઈએ.
-આ કોમ્બીનેશનથી થતા નુક્સાન
- કેળા અને દૂધના એક સાથે સેવનથી શરીરમાં એવા ટોક્સિન્સ પેદા થાય છે જેનાથી એલર્જી થવાની સંભાવનાઓ વધી જાય છે.
- અસ્થમાના દર્દીઓ માટે કેળા અને દૂધના એક સાથે સેવનથી ખૂબ નુક્સાન થાય છે કેમકે તેનાથી કફ બને છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ ઉદ્દભવી શકે છે.
- કેળા અને દૂધને એક સાથે મિક્સ કરવાથી તેમાં રહેલા ગુણ નષ્ટ થઈ જાય છે. એટલુંજ નહિ આ કોમ્બીનેશન તમારી પાચનક્રિયાને ખરાબ કરી શકે છે. આ ઉપરાંત તમારા આંતરડાને પણ નુક્સાન પહોંચાડી શકે છે.