દેશમાં કોરોનાની સ્થિતિને માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાંના સાત દિવસ બાદ કોરોનાના હળવા કેસો ધરાવતા લોકો ડિસ્ચાર્જ થઈ શકે છે અને આવા લોકોએ ફરી વાર કોરોના ટેસ્ટ કરાવવાની જરુર નથી. અત્યાર સુધી તો કોરોનામાંથી સાજા થયા બાદ પણ ટેસ્ટ કરાવવાની જરુર હતી પરંતુ હવે ટેસ્ટની જરુર નથી તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.
Mild case discharge after at least 7 days from testing positive & non-emergency for 3 successive days, no need for testing prior to discharge...: Lav Agarwal, Joint Secretary, Health Ministry pic.twitter.com/h0Yf5Dtw72
સરકારે બદલી ડિસ્ચાર્જ પોલિસી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે કોરોના પર પ્રધાનમંત્રી મોદીની સમીક્ષા બેઠક બાદ સરકારે ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર કર્યો છે. કોરોનાના લક્ષણોને હળવા અને સાધારણ એમ બે ભાગ પડાયા છે.
After a review meeting by PM over COVID situation, we have revised our discharge policy with severity categorised into mild and moderate cases: Lav Agarwal, Joint Secretary, Health Ministry pic.twitter.com/mMxzVVyWFJ
મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી, અને ગુજરાતમાંથી આવતા આંકડા ચિંતાનો વિષય
30મી ડિસેમ્બરે પોઝિટીવિટી રેટ 1.1% હતો, તે વધીને 11.05% થયો છે. મહારાષ્ટ્ર, પં. બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, યુ.પી., કેરળ અને ગુજરાતમાંથી આવતા #COVID19ના આંકડા ચિંતાનો વિષય છે. #Omicron ને કારણે ભારતમાં 115 અને વિશ્વમાં અન્ય લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 159 દેશોમાં કેસ વધી રહ્યા છે. યુરોપના 8 દેશોએ છેલ્લા 2 અઠવાડિયામાં 2 ગણાથી વધુનો વધારો નોંધાવ્યો છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 9,55,319 ની નજીક છે.
Total 115 confirmed deaths globally due to Omicron and 1 death in India: Lav Agarwal, Joint Secretary, Health Ministry pic.twitter.com/rbvpxeeEGO
ICMRએ બહાર પાડેલી ગાઈડલાઈનની મહત્વની બાબતો
કોરોના દર્દીના સંપર્કમાં આવેલા બધા લોકો માટે ટેસ્ટની જરુર નહીં
વૃદ્ધો અથવા તો ગંભીર બીમારીથી પીડિત હાઈ રિસ્ક વાળા સંપર્કોએ જ કોરોના ટેસ્ટ કરાવે
હોમ આઈસોલેશનમાં બહાર આવેલા લોકો માટે કોરોના ટેસ્ટ જરુરી
કોરોનાના લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવો
60 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે ટેસ્ટ જરુરી