નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે ચોથી વખત Budget રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે મધ્યમ વર્ગ અને નોકરિયાતોને મોટી આશા છે. આ વખતે TAX deduction તેમજ FD ના નિયમોમાં ફેરફાર થઈ શકે છે.
આ વખતે બજેટ પાસેથી મધ્યમવર્ગને મોટી અપેક્ષા
TAX deduction માં થઇ શકે છે મોટો ફાયદો
મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને આશા
1 ફેબ્રુઆરીએ Budget 2022
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2022ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.
રિયલ એસ્ટેટ હોય, કૃષિ હોય કે આરોગ્ય ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રના લોકોને આ બજેટ પાસેથી અપેક્ષાઓ છે, પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રજૂ થનાર આ બજેટ પાસેથી લોકોને ઘણી આશા છે.
મધ્યમ વર્ગને મોટી અપેક્ષા
આ વખતે નાણામંત્રી ચોથી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. મધ્યમ વર્ગ અને ખાસ કરીને નોકરીયાત લોકોને આ વખતના બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નોકરી કરતાં લોકોને કેટલાક ખાસ ફાયદા મળી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
TAX deduction માં ફાયદો થઇ શકે
નોકરિયાત લોકોને મોદી સરકાર તરફથી ટેક્સ ફ્રી થવાની મર્યાદા વધારવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે ટેક્સ ફ્રી મર્યાદા ઘણા વર્ષોથી યથાવત છે. આમાં કોઈ વધારો થયો નથી. એવું માનવામાં આવે છે કે આ વખતે નોકરીયાત લોકોને આકર્ષવા માટે મોદી સરકાર ટેક્સ મુક્તિ મર્યાદા વધારવાનો નિર્ણય લઈ શકે છે.
કરદાતાઓની માંગ
છેલ્લા 8 વર્ષથી આમાં કોઈ ફેરફાર થયો નથી. 8 વર્ષ પહેલા આ મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. તે પછી તેમાં કોઈ ફેરફાર થયો નથી. કરદાતાઓની માંગ છે કે આ મર્યાદા 2.5 લાખથી વધારીને પાંચ લાખ કરવી જોઈએ. જો કે આશા છે કે સરકાર જો એવું માનટી હોય કે પાંચ લાખ યોગ્ય નથી પરંતુ તેની મર્યાદા વધારીને ત્રણ લાખ તો કરી શકે છે. જેથી રોજગારી મેળવનારા લોકોના મોટા વર્ગને વિધાનસભાની ચૂંટણીઓ (Elections 2022) માં ખુશ કરી શકાય.
FD Tax-free થવાની આશા
ઇન્ડિયન બેંક્સ એસોસિએશનની જેમ, એવી માંગ કરવામાં આવી છે કે 3 વર્ષની મુદતવાળી એફડીને પણ કરમુક્ત કરવામાં આવે.
PPF દ્વારા FD કરવા પર બેંક કરતા વધારે વ્યાજ દર મળતો છે. આવી સ્થિતિમાં, લોકો બેંકમાં એફડી કરાવવાને બદલે અન્ય વિકલ્પો તરફ વળ્યા છે. આ માંગને લઈને સરકાર આ બજેટમાં કેટલાક મોટા નિર્ણય લઈ શકે છે.
ટેક્સ સેવિંગ સેક્શનમાં ફેરફાર થઈ શકે છે
આવકવેરાની કલમ 80Cમાં પણ જરૂરી ફેરફારોની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેથી કરીને લોકોને ટેક્સ બચાવવામાં સરળતા રહે. પગારદાર લોકો માટે ટેક્સ બચાવવા માટે આ વિભાગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં આ અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીની છૂટની જોગવાઈ કરવામાં આવી છે, જે વધારીને બે લાખ કરવામાં આવે તેવી શક્યતા છે.