મહેસાણા: SP સાથે મુલાકાત બાદ જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું છે. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે આટલી બધી ઘટનાઓ બાદ સરકારે કોઈ બોધપાઠ લીધો નથી. આ ઘટના પહેલા રાજકોટ અને શાપરમાં પણ આવી ઘટના બની હતી. સરકારે ઉનાના આરોપીઓના જામીનને હાઈકોર્ટમાં પડકારવાની જરૂર હતી. SPએ કહ્યું કે બે આરોપીઓની ધરપકડ કરી છે. ચારથી પાંચ મહિનાની અંદર કોર્ટની ટ્રાયલ પૂર્ણ થાય અને મુખ્યમંત્રી કોઈ પીડિત પરીવારના ઘરે જતા નથી.
ઉલ્લેખનીય છે કે દલિતનેતા જિગ્નેશ મેવાણીએ આજરોજ મહેસાણાના પોલીસ અધિકારીની મુલાકાત લીધી હતી જો કે ત્યારેબાદ એક નિવેદન આપતા સરકારને આડેહાથ લીધી હતી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે વિઠ્ઠલાપુરની જે ઘટના બની જેમાં એક દલિત યુવકને મારમારવામાં આવ્યો તેના પરથી રૂપાણી સરકારે કોઇ ધળો લીધો નથી. 2 આરોપીની ધરપકડ થઇ છે તો હવે તેના માટે ખાસ કાર્યવાહી થાય અને પીડિતોને યોગ્ય ન્યાય મળે તો હું માનીશ કે રાજ્યની સરકારમાં કોઇ ખોટ નથી.
આપને જણાવી દઇએ કે તાજેતરમાં જાતિવાદનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બહુચરાજીમાં એક યુવકને માર મારતો વીડિયો છે. 2 યુવક પીડિત યુવકને માર મારી રહ્યા છે. એક પછી એક ડંડા-લાત વરસાવી રહ્યા છે. તો ગડદા પાટુનો માર પણ મારી રહ્યા છે.
એવામાં એક યુવક પીડિત યુવકને હાથ જોડવા કહે છે અને પગે પણ લગાડે છે. જો કે માર મારનાર બન્ને યુવક રાજપૂત સમાજના હોવાનું સામે આવ્યું હતું અને 2 યુવકોની આજે ધરપકડ પણ થઇ હતી ત્યારે આજે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ આજરોજ મહેસાણાના spની મુલાકાત લીધી હતી. માધ્યમો સાથે વાતચીત કરતા તેમણે રૂપાણી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.