મહેસાણાના બહુચરાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમીત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. પ્રથમ દિને જ મોટી સંખ્યામાં આવેલા માઈ ભક્તોએ મંગળા આરતીનો લાહ્વો લઈ પૂજા અર્ચના કરી હતી. આ શુભ પ્રસંગે મંદિરમાં માતાજીનું ઘટ સ્થાપન કરાયું હતું. મહત્વનું છે કે સતત 7 દિવસ સુધી મંદિરમાં માતાજીનું હોમ હવન સાથે સ્તુતિ આરાધના પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતા રાજ્યના તમામ શક્તિ મંદિરો જગદંબાના જયનાદથી ગુંજી ઉઠ્યા હતા. ત્યારે આજે રાજ્યની 64 શક્તિપીઠ અંબાજીખાતે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.
તો આ તરફ મહેસાણા નજીક આવેલ બહુચરાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ મંદિરમાં વલ્લભ ભટ્ટનું સ્થાન આવેલ છે જ્યાંથી તેમણે વિશ્વપ્રસિધ્ધ આનંદના ગરબાની રચના કરી હતી.