લૉકડાઉન થયુ ત્યારથી ટુરિઝમ પણ ઠપ થઇ ગયુ હતું. લોકો ફરવા જતા પણ બીવા લાગ્યા હતા. બાદમાં ધીરે ધીરે ટુરિસ્ટ પ્લેસ ખુલવા લાગ્યા અને લોકોની અવર જવર થવા લાગી. ત્યારે કેન્દ્ર સરકારે છેલ્લા 6 મહિનાથી બંધ કરેલો મેહરાનગઢ કિલ્લો 1 ઓક્ટબરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.
6 મહિનાથી બંધ હતો કિલ્લો
1 ઓક્ટોબરથી ખુલશે કિલ્લો
નવા નિયમો સાથે ખુલશે કિલ્લો
હવે જ્યારે કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે તેના માટે નિયમ પણ અલગ હશે. કોરોનાના કારણે ટીકીટથી લઇને ફરવા સુધીની તમામ વસ્તુઓના નવા નિયમો હશે. ઓનલાઇન ટિકિટ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સોશ્યલ ડિસ્ટંન્સીગના નિયમો સાથે, કેમ્પસનું સેનીટાઇઝેશન, ડિજિટલ થર્મોમીટર સાથે સમય-સમય પર તપાસ કરવામાં આવશે.
મહેરાનગઢ કિલ્લાના ટ્રસ્ટો જણાવ્યું હતું કે, સોશ્યલ ડિસ્ટંન્સીગ સાથે જ પ્રવાસીઓ આવી શકશે. મહેરાનગઢ કિલ્લો ભારતમાં ફરવાના સ્થળોમાં ઘણો જ ફેમસ છે. માટે અહીં આવવા માટે ભીડભાડ ન થાય તેથી નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે.
જોધપુરનો આ કિલ્લો કોરોનાને કારણે 46 વર્ષ બાદ 18 માર્ચે બંધ કરવામાં આવ્યો હતો. લૉકડાઉનના 6 મહિના બાદ કિલ્લો 1 ઓક્ટોબરના રોજ ફરીથી ખુલશે. મ્યુઝિયમની ટીકીટ ઓનલાઇન લઇ શકાય છે. સાથે સ્ટાફને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે.
જે રીતે કિલ્લો ખોલવામાં આવ્યો છે તે જ રીતે હોટલ, પેલેસ અને બીજા સ્થળો પણ પબ્લિક માટે ઓપન કરી દેવામાં આવ્યા છે. જેથી પ્રવાસીઓ રાજસ્થાન ટુરિઝમનો આનંદ લઇ શકશે. જો તમે પણ રાજસ્થાનમાં ફરવા જવાનુ વિચારી રહ્યાં હોવ તો આ સ્થળ તમારા માટે બેસ્ટ હશે.
આ કિલ્લાને રાઠોડોએ સૂર્યનગરી જોધપુરમાં બંધાવડાવ્યો હતો, જ્યાં રાવ જોધા દ્વારા ચિડિયા ટુક ટેકરી પર આ કિલ્લા બનાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ત્યારથી આ કિલ્લો તેમના નામે ઓળખાય છે.