ઉલ્લેખનીય છે કે, મહેબૂબા મુફ્તીની ધરપકડ બાદ નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઓમર અબ્દુલ્લાને પણ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારના તમામ કદમ પર શરૂઆતથી જ સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યામાં વધારે પ્રમાણમાં સુરક્ષા દળોને ગોઠવવામાં આવ્યા અને ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવ્યા બાદ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
ભારતીય લોકશાહીનો આ સૌથી કાળો દિવસ : મહેબૂબા મુફ્તી
મહેબૂબા મુફ્તીએ સંસદમાં- 370 રદ્દ કરવાની જાહેરાતની થોડી મિનિટો પછી જ બે ટ્વીટ કર્યા હતા. પ્રથમ ટ્વિટમાં મુફ્તીએ લખ્યું હતું કે ભારતીય લોકશાહીનો આ સૌથી કાળો દિવસ છે. જમ્મુ-કાશ્મીરના નેતૃત્વએ 1947 માં ભારત સાથે જવા માટે લેવામાં આવેલ નિર્ણય ખોટો સાબિત થયો. ભારત સરકાર દ્વારા આર્ટિકલ- 37૦ હટાવવાનો નિર્ણય ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.
ઓમર અબ્દુલ્લાનું નિવેદન
આ તરફ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા અનુચ્છેદન-370 ને હટાવવી જમ્મુ કાશ્મીરના લોકો સાથે દગો કર્યો છે. જમ્મુ કાશ્મીરે 1947 માં આ નિર્ણયનો વિશ્વાસ ભારત સાથે જોડાયેલો હતો તે આજે તૂટી ગયો છે. ભારત સરકારના આ નિર્ણયથી ભયાનક પરિણામો સામે આવશે.
ઓમર અબ્દુલ્લાએ વધુમાં પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આ નિર્ણયને અમલમાં મૂકવા માટે ભારત સરકારે કપટપૂર્ણ અને અપ્રગટ કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકારના પ્રતિનિધિઓએ અમને જૂઠ્ઠું બોલ્યું કે કંઇ મોટું કંઈ થવાનું નથી. કાશ્મીર ઘાટીને છાવણીમાં ફેરવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોનો અવાજ દબાવવા માટે રાજ્યભરમાં લાખો સશસ્ત્ર સૈન્ય તૈનાત કરવામાં આવ્યા હતા.