મહેસાણા બાયપાસ હાઇ વે પરનો બ્રિજ બેન્ડ થઇ ગયા હોવાની વાત થોડા દિવસ પહેલાં જ સામે આવી હતી. જેમાં ખારી નદી પરનો બ્રિજ બેન્ડ થઇ જતાં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે હવે આ દબાઇ ગયેલો ભાગ ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ અંગેની કામગીરી ત્રણ મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે.
મહેસાણામાં 5 વર્ષમાં બ્રિજ બેસી જવાનો મામલો
દબાઈ ગયેલો ભાગ ઉતારી લેવાનો નિર્ણય, ત્રણ મહિનામાં કરાશે પૂર્ણ
નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા શરૂ કરાઇ કામગીરી
મહેસાણા ખાતે 5 વર્ષમાં બ્રિજ બેસી જવાના મામલે દબાઇ ગયેલો ભાગ ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની કામગીરી ત્રણ મહિનામાં પૂર્ણ કરાશે. જેને લઇને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા કામગીરી શરૂ કરાઇ છે.
જો કે બ્રિજ પર ચાલુ કરવામાં આવેલી કામગીરીને લઇને ત્રણ માસ સુધી વાહન ચાલકોને ડ્રાઇવર્જનનો ઉપયોગ કરવો પડશે. બ્રિજના રિનોવેટનો ખર્ચો સરકારે ભોગવવો પડશે. બ્રિજ પરનો ગેરેંટી પીરિયડ ખતમ થઇ ગયો હોવાથી સરકાર ખર્ચો કરશે.
ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલો બ્રિજ બેન્ડ થઇ ગયો હોવાનું સામે આવ્યું હતું. જોકે તંત્ર દ્વારા થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે ભારે વાહનોના કારણે બ્રિજ બેન્ડ થયો હોવાનું કારણ આગળ ધરી રહ્યું છે.
કરોડો- અબજોનો રોડ-રસ્તાનો ટેક્સ વસૂલતી વખતે કરવેરા નાંખતી વખતે સરકાર કેમ વિચારતી નથી? સામાન્ય વ્યક્તિ અકસ્માત કરે કે કોઈ નિયમનું ઉલ્લઘંન કરે તો તેમની માટે દંડની જોગવાઈ છે તો શું આ રોડ રસ્તા બનાવાનર મલાઈદાર કોન્ટ્રાક્ટરો સરકારી મંત્રીઓ અને અધિકારીઓના સગાવહાલા છે કે તેમની પાસેથી હજારો લોકો માથે તોળાઈ રહેલા મોત માટે કોઈ જ સજાની જોગવાઈ નથી?
સળગતા સવાલ
શું બ્રિજનું કામ નબળું કરાયું હતું ?
R&Bએ ભારે વાહનોથી બ્રિજ બેન્ડ થયાનું આપ્યું છે કારણ
બ્રિજ બનાવતા પહેલા ભારે વાહનોનો નહોતો રખાયો ખ્યાલ ?
જો બ્રિજ સક્ષમ ન હતો તો કેમ વાહનોને પ્રવેશ અપાયો ?