MBBS Student Want To Marrie Pandit Dhirendra Shastri: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે એક MBBS વિદ્યાર્થીની લગ્ન કરવા માંગે છે. તેણે કોઈ ખુલાસા અંગે પણ વાત કરી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા માંગે છે આ વિદ્યાર્થીની
MBBS વિદ્યાર્થીનીએ કર્યો ખુલાસો
કહ્યું બાબાને કહીશ મનકી બાત
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના લગ્નને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. હવે એક MBBS સ્ટૂડન્ટે તેમના સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધુ છે. શિવરંજની તિવારી નામની એક યુવતીએ બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લગ્ન કરવાની કામના કરી પદયાત્રા કાઢી છે.
આ યુવતીએ શ્રી ગંગોત્રી ધામથી બાગેશ્વર ધામ સુધી માથા પર ગંગા જળનો કળશ લઈને પદયાત્રા શરૂ કરી. તેમનું કહેવું છે કે તે ગુરૂદેવના આદેશ પર ગંગોત્રીથી બાગેશ્વર ધામ માટે નિકળી છે. શિવરંજની ગંગોત્રીથી ગંગા જળ લઈને ચિત્રકૂટ સુધી પહોંચી. તેને બાગેશ્વરધામ સુધી પદયાત્રી કરી પહોંચવાનું છે. તેનું કહેવું છે કે તે 16 જૂન સુધી ત્યાં પહોંચશે.
બાલાજી સામે મુકી ચુકી છે કામના
તેમનું કહેવું છે કે અમે પોતાની કામના બાલાજીની સામે મુકી ચુક્યા છીએ. તેના વિશે 16 જૂને બાગેશ્વર ધામ ખુલાસો કરશે. તમામ મીડિયા રિપોર્ટ્સમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે શિવરંજની બાગેશ્વર સરકાર સાથે લગ્ન કરવા માંગે છે. તેની કામનાને લઈને તે તેમના સુધી જઈ રહી છે.
બાલાજી સરકારને નથી જાણ
યુવતીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમની કામના છે કે પછી નથી. આ બાલાજી સરકારને નથી ખબર, વિવાહના વિશે ફક્ત તેમને જ ખબર છે. તેમણે કહ્યું કે તેના વિશે જે પણ હકીકતે છે તેને લઈને દરેક લોકો 16 જબને બાગેશ્વર ધામથી લાઈવ જશે. ત્યાંથી તમારી કામના વિશે જણાવશે.
2021થી ધીરેન્દ્ર શાસ્ત્રીને કરે છે ફોલો
તેમણે જણાવ્યું કે તે વર્ષ 2021થી જ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને ફોલો કરી રહી છે. તે તેમની ત્રણ મોટી જાહેરાતોથી ખૂબ જ પ્રભાવિત થઈ. જેમાં કેન્સર હોસ્પિટલનું એલાન સામેલ છે. શિવરંજનીએ જણાવ્યું કે તે 4 વર્ષની ઉંમરથી ભજન ગાય છે. તેને બાળપણથી જ આદ્યાત્મને લઈને લગાવ છે. હાલ MBBSનો અભ્યાસ કરી રહી છે.
તેણે જણાવ્યું કે બાગેશ્વર ધામની અલૌકિક શક્તિઓ પર સંદેહ કરવું ખોટુ છે કારણ કે તે અંતર્યામી છે. તેમણે કહ્યું કે પદયાત્રામાં હજુ સુધી કોઈ અડચણ નથી આવી. યુવતીને પુછવામાં આવ્યું કે તે બાગેશ્વર ધામ જઈને શું કરશે? તો તેણે કહ્યું કે તેને કંઈ નથી ખબર. બધુ બાલાજી જાણે છે. કારણ કે કિસ્મતનું લખેલું કોઈ નથી બદલી શકતું.
યાત્રામાં પતિ-ભાઈ પણ શામેલ
આ યાત્રામાં શિવરંજનીની સાથે તેના પિતા, ભાઈ અને ઘણા અન્ય લોકો પણ શામેલ છે. તેણે જણાવ્યું કે બધા લોકોને સનાતનધર્મ પર ગર્વ છે. તેની સાથે જોડાયેલા રહો.