રાજ્યસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ષડયંત્ર પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ સપાને હરાવવા માટે ભાજપને સપોર્ટ કરતા અચકાશે નહીં. ત્યારે રાજકીય ગલીઓમાં એવી ચર્ચા થઈ હતી કે માયાવતી આગામી ચૂંટણીઓમાં ભાજપ સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યા નથી ને. જો કે હવે બસપાના વડાએ આ બધી અટકળો પર લગામ લગાવી છે. માયાવતીએ સ્પષ્ટ કહ્યું છે કે બસપા કદી ભાજપ સાથે જોડાશે નહીં.
ચૂંટણી પહેલા માયાવતીનું મોટું નિવેદન
રાજકીય સન્યાસ પસંદ કરી પરંતુ ભાજપ સાથે નહીં જોડાઇએ
યુપીની સાત વિધાનસભા બેઠકો પર મંગળવારે મતદાનના એક દિવસ પહેલા જ ભાજપ સાથે બેઠક કરવાના આરોપો અંગે માયાવતીએ સ્પષ્ટતા આપી હતી. માયાએ કહ્યું કે તેમનો પક્ષ ભાજપની વિચારધારાની વિરુદ્ધ છે અને ભવિષ્યની વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીઓમાં તેઓ ક્યારેય ભાજપ સાથે જોડાશે નહીં.
BSPથી મુસ્લિમોને અલગ કરવાનું રાજકીય કાવતરું
મીડિયા સાથેની વાતચીતમાં માયાવતીએ કહ્યું કે, પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને અમારી પાર્ટી વિરૂદ્ધ કાવતરું રચી રહી છે અને ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેથી મુસ્લિમ સમાજના લોકો બસપાથી અલગ થઇ જાય. બીએસપી સાંપ્રદાયિક પાર્ટીની સાથે સમજૂતી નહીં કરી શકે. અમારી વિચારધાર સર્વજન ધર્મની છે અને ભાજપની વિચારધારા અલગ છે.
રાજકીય સન્યાસ લેવાનું પસંદ કરીશ પરંતુ....
બીએસપી ચીફે સ્પષ્ટ રીતે કહ્યું કે, બીએસપી સાંપ્રદાયિક, જાતિવાદી અને પૂંજીવાદી વિચારધારા રાખનાર સાથે ક્યારેય ગઠબંધન નહીં કરી શકે. તે રાજનીતિથી સન્યાસ લઇ શકે છે પરંતુ આવી પાર્ટીઓની સાથે નહીં જોડાય. તેમણે દાવો પણ કર્યો કે તે સાંપ્રદાયિક, જાતિવાદી અને પૂંજીવાદી વિચારધારા રાખનાર તમામ પાર્ટીઓ સાથે લડશે અને તેમની સામે નહીં જૂકે.
મારા શાસનમાં ક્યારેય હિંદુ-મુસ્લિમ વચ્ચે ઝઘડા થયાં નથી
જૂના દિવસોને યાદ કરતા માયાએ કહ્યું કે, તમે બધા જાણો જ છો કે, બસપા એક વિચારધારા અને આંદોલનની પાર્ટી છે અને જ્યારે મે ભાજપની સાથે સરકાર બનાવી ત્યારે પણ મેં કોઇ જ સમજૂતિ નથી કરી. મારા શાસનકાળમાં ક્યારેય હિંદુ-મુસ્લિમ વચ્ચે ઝઘડા થયાં નથી. આ ઘટનાનો ઇતિહાસ પણ સાક્ષી છે. બસપાએ વિપરીત સ્થિતિમાં પણ ક્યારેય ભાજપ સાથે સમજૂતિ કરી નથી.
સમાજવાદી પાર્ટી જ્યારે પણ સત્તામાં આવશે ત્યારે ભાજપે મજબુત બની છે. રાજ્યમાં વર્તમાન ભાજપ સરકાર સપાના કારણે રચાઇ છે. તમને યાદ અપાવી દઇએ કે પેટાચૂંટણીમાં બસપાએ મુસ્લિમ ઉમેદવારોને સાતમાંથી બે બેઠકો પર ઉમેદવારી આપીને તેમનું પ્રતિનિધિત્વ કર્યું છે. યુપીમાં, જ્યારે પણ આપણે આપણી જાતે અથવા ભાજપ સાથે સરકાર બનાવી ત્યારે મુસ્લિમ સમાજને કોઈ નુકસાન થયું ન હતું, પછી ભલે આપણે આપણી સરકારનું બલિદાન આપીએ.
તે સમયે પણ ખુરશીની ચિંતા નહોંતી કરી
તેમણે વિગતવાર ગયા વગર કહ્યું કે, 1995માં જ્યારે ભાજપના સમર્થનથી મારી સરકાર બની તો મથુરીમાં ભાજપ અને RSSના લોકો નવી પરંપરા શરૂ કરવા માગતા હતા પરંતુ મેં તેમને શરૂ કરવા દીધી નહીં અને મારી સરકાર ચાલી ગઇ. આવા કપરા કાળમાં મેં મારી ખુરશીની પણ ચિંતા કરી નહોંતી.