મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારતીય જનતા પાર્ટી (BJP) ના પૂર્વ સહયોગી શિવસેના પર નિશાન સાધ્યું છે. પાલઘરમાં કાર્યકર્તા સંમેલન દરમિયાન ફડણવીસે કહ્યું કે શિવસેનાની બેઇમાનીના કારણે આજે અમે વિપક્ષમાં બેઠા છીએ. નાગરિકતા સંશોધન કાયદો અને NRC ને લઇને શિવસેનાની બેવડી ભૂમિકા રહી છે.
દેવેન્દ્ર ફડણવીસએ ફરી શિવસેના પર સાધ્યું નિશાન
શિવસેનાની બેઇમાનીના કારણે ભાજપ સત્તામાંથી બહાર થયું
CAA અને NRC પર શિવસેનાની બેવડી ભૂમિકા
દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે લોકસભામાં અલગ વલણ હતું અને રાજ્યસભામાં અલગ હતું. શિવસેના પહેલા પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડણવીસે કહ્યું કે શિવસેના સવારે શેર તો રાતે ઢેર થઇ જાય છે. તે સવારે શેર હોય છે પરંતુ રાતે બિલાડી થઇ જાય છે. શિવસેનાનો આદેશ હવે માતોશ્રીમાંથી નથી આવતો. હવે તેઓને દિલ્હીના માતોશ્રીનો આદેશ માનવો પડે છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીના આદેશ પર શિવસેનાએ રાજ્યસભામાંથી વોકઆઉટ કરી દીધો.
મહારાષ્ટ્રની જનતાએ ભાજપ-શિવસેનાના ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો પરંતુ દુર્ભાગ્યપૂર્ણ શિવસેના દ્વારા વિશ્વાસઘાતના કારણે જેણે એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મેળવી લીધો, ભાજપ સત્તાથી દૂર થઇ ગઇ. શિવસેના પર છેતરપિંડીનો આરોપ લગાવતા ફડણવીસે કહ્યું જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બની છે ત્યારથી ત્રણેય પક્ષો મંત્રીઓના નામ નક્કી કરી શક્યા નથી.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું મંત્રીઓની પસંદગી પછી પણ શિવેસનાના નેતાઓ અને કાર્યકરોમાં અસંતોષ વધ્યો છે. જ્યારે કોંગ્રેસે મંત્રીમંડળના ગઠન બાદ પોતાની જ ઓફિસોમાં તોડફોડ કરી.