બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mass suicide of family in Haridham Society, Chalala, Amreli

કરૂણાંતિકા / અમરેલીમાં બે કુમળી દીકરીઓને કેરોસીન છાંટીને પોતે કર્યું અગ્નિસ્નાન, આ કારણે માળો વિખેરાયો

Vishnu

Last Updated: 07:33 PM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મરેલીના ચલાલામાં ઘર કંકાસથી કંટાળી મહિલાએ 2 દીકરી સાથે કેરોસીન છાંટીને અગ્નિવિલોપન કર્યુ છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

  • અમરેલીની ચલાલાની હરિધામ સોસાયટીમાં પરિવારનો સામુહિક આપઘાત
  • 2 દિકરી સાથે માતાએ કેરોસીન છાંટીને કર્યુ અગ્નિવિલોપન
  • ગૃહકંકાસના કારણે પરિવારના 3 સભ્યોનો સામુહિક આપઘાત

અમરેલીમાં આજે બનેલી આપઘાતની ઘટનામાં એક પરિવાર વીંખઈ ગયો છે. બેડરૂમમાં કેરોસીન ચાંપી અગન પછેડી ઓઢી લેતા પરિવારના ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજયાં છે. આગ એટલી વિકરાળ હતી આખુંય ઘર ભભૂકી ઉઠ્યું હતું. 

અગ્નિવિલોપનમાં પરિવારના ત્રણ ભડથું

અમરેલીના ચલાલાના રહેણાંક મકાનમા બનેલો આ બનવા ભયાવહ હતો. હરિધામ સોસાયટીમાં 2 દિકરી સાથે માતાએ કેરોસીન છાંટીને અગ્નિવિલોપન કર્યાનો ઘટસ્ફોટ થયો છે. પહેલા ખબર એવી હતી કે આગ લગતા ત્રણ લોકોના મોત થયા છે બાદમાં પોલીસ તપાસ અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર આગની નહીં પણ આપઘાતની ઘટના સામે આવી હતી. ગૃહકંકાસના કારણે મહિલાએ આ પગલું ભર્યું હોવાના સમાચાર મળી રહયા છે. આત્મવિલોપનમાં મહિલા સાથે 14 વર્ષની  અને 3 માસની દિકરીનો પણ સમાવેશ થાય છે. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંગત ઝઘડા બાદ માતાએ પુત્રીઓ સાથે આત્મવિલોપન કર્યું

ચલાલાની હરિધામ સોસાયટીમાં સ્થાયી આ પરિવારમાં અંગત ઝઘડો ચાલતો હતો. જે બાદ મહિલાએ બે દીકરીઓ સાથે બેડરૂમમાં આગ ઓઢી લીધી હતી. કેરોસીન છાંટયા બાદ ભયંકર આગ ભભૂકી હોવાને કારણે ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. એમાંય ઘરમાં જવાનો એક જ દરવાજો હતો આથી ગામ લોકોને બચાવવામાં જ પણ થોડી વાર થઇ હતી. જેથી આગની ઝપટમાં આવતા માતા અને બે પુત્રીઓના આત્મવિલોપનમાં અવસાન થયા છે. 

પાણીનો મારો ચલાવી ગ્રામજનોએ આગ પર કાબૂ મેળવ્યો

આગ લાગી  આગ લાગીની ચીસો સંભાળતા સમગ્ર ચલાલા ગામ એકઠું થઈ ગયું હતું અને પોતાની રીતે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.જો કે આગ કંટ્રોલમાં પણ આવી ગઈ હતી પણ અંદર રહેલા માતા અને બે પુત્રીઓને ગામલોકો બચાવી ન શક્યા હતા. આગનું રૂપ જોતાં ફાયર ટીમને પણ કોલ કરવામાં આવ્યો હતો અને પોલીસને પણ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી ફાયર ટીમે ત્રણેય મતૃકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બાદમાં પોલીસે કરેલી તપાસમાં ઘરમાં કેરોસીન છાંટયા હોવાનો ધડાકો થયો હતો. પોલીસ હાલ આત્મવિલોપન કેમ કર્યું તેની સઘન તપાસ કરી રહી છે. હાલ પરિવાર સહિત ગામલોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amreli Chalala Haridham Society fire mass suicide આત્મવિલોપન ચલાલા સામુહિક આપઘાત હરિધામ સોસાયટી Suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ