સુરતમાં કોરોના વાયરસને લઇ અનોખું જાગૃતિ અભિયાન શરૂ કરાયું. જેમાં લોકોને જાગૃત કરવા માટે વિમાનને 14 ફૂટ લાબું અને 5 ફૂટ પહોળું માસ્ક લગાવાયું છે. સાવચેતીના પગલારૂપે લોકોને યોગ્ય જાણકારી મળે તેવા મુખ્ય ઉદ્દેશથી વિમાનને માસ્ક લગાવાયું છે. અને કોરોના વાયરસને માત આપવા માટે માસ્ક કેટલું જરૂરી છે તેને લઇ લોકોના જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે.