મસ્જિદમાં સ્કૂલના બાળકોને અભ્યાસ માટે જગ્યા આપવામાં આવી છે. તેની સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે તેમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન આવે.
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની ઘટના
મસ્જિદમાં નહીં વગાડવામાં આવે લાઉડસ્પીકર
અભ્યાસ માટે આપી મસ્જિદની જમીન
પશ્ચિમ બંગાળના (West Bengal) જલપાઈગુડીમાં (Jalpaigudi) સામાજિક સંવાદિતાની મિસાલ રજુ કરતા એક મસ્જિદ હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. આમ તો મસ્જિદમાં નમાઝ માટે લાઉડસ્પીકરનો (Loudspeaker) ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જલપાઈગુડીની એક મસ્જિદમાં બાળકોના અભ્યાસ માટે લાઉડસ્પીકરને બંધ કરી દેવામાં આવ્યો છે.
WB | A mosque in Jalpaiguri isn't using loudspeakers for namaz to avoid disturbance in studies of students of a school, during COVID
We're offering namaz without loudspeakers for noise-free classes on our premises. Can't develop the nation without education: Najimul Haque, Imam pic.twitter.com/wXJXrEwwPn
આમ કરવા પાછળનું કારણ એ છે કે બાળકોનો અભ્યાસ વગર કોઈ મુશ્કેલીએ ચાલતો રહે. આ કામ માટે મસ્જિદની સરાહના થઈ રહી છે.
સ્કૂલના બાળકોને અભ્યાસ માટે આપી જગ્યા
આ મસ્જિદના ઈમામ નજીમુલે આ સંબંધમાં જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આ મુસ્લિમ સમાજનો પ્રયત્ન છે. મસ્જિદમાં સ્કૂલના બાળકોને અભ્યાસ માટે જગ્યા આપવામાં આવી છે. તેની સાથે જ એ વાતને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે કે તેમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન આવે. તેના માટે લાઉડસ્પીકરને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
તેમનું કહેવું છે કે જ્યારે મસ્જિદમાં નમાઝ પઢવામાં આવે છે ત્યારે દરેક લાઉડસ્પીકર બંધ કરી દેવામાં આવે છે મુસ્લિમ સમાજના આ પ્રયત્નને દરેક જગ્યાએ સરાહવામાં આવી રહ્યા છે. મસ્જિદની અંદર ચાલતી સ્કૂલના ટીચર ઈન્દ્રનીલ સાહનું કહેવું છે કે સ્કૂલ માટે મસ્જિદની તરફથી સહયોગ આપવામાં આવી રહ્યો છે.