પેટ્રોલનો વપરાશ ઘટાડવા અને ગાડીઓથી થતા પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે Maruti Suzuki એ આવો નિર્ણય લીધો છે. કંપનીને આશા છે કે CNG અને હાઇબ્રિડ ગાડીઓના વેચાણમાં વધારાથી ડિઝલ કારોનું ઉત્પાદન બંધ કરવાની ભરપાઇ થઇ જશે.
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzuki પોતાના પોર્ટફોલિયોની તમામ નાની ગાડીઓનું CNG વેરિયન્ટ લાવશે. કંપનીનો આ નિર્ણય પેટ્રોલનો ખર્ચ ઘટાડવા અને ગાડીઓથી થતા પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે કર્યો છે.
મારૂતિના કુલ વેંચાણમાં CNG થી ચાલતી ગાડીઓની ભાગીદારી 7 ટકાની છે. જો કે કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે જે રાજ્યોમાં ડિસ્ટ્રીબ્યૂશન આઉટલેટ મોજૂદ છે, એમાં મોડલના કુલ વેંચાણમાં CNG થી ચાલતા વેરિયન્ટનો ભાગ 30 ટકા સુધી છે.
કંપનીના હાલના નાણાંકીય વર્ષ પહેલા 4 મહિનામાં કુલ 31 હજાર CNG ગાડીઓ વેચી છે. હાલ મોટાભાગે CNG આઉટલેટ દિલ્હી, મુંબઇ અને ગુજરાતમાં છે. મારૂતિ સુઝુકીએ ગત વર્ષમાં CNG ગાડીઓનું પ્રોડક્શન 40 ટકા સુધી વધાર્યું હતું. કંપનીનું કહેવું છે કે એ હાલના નાણાંકીય વર્ષમાં આ આંકડાને 50 ટકા સુધી લઇ જવા ઇચ્છે છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક મંત્રાલયે ગત વર્ષે પર્સનલ મોબિલિટી સ્પેસમાં CNG ગાડીઓને પ્રોત્સાહવ આપવા માટે જાહેરાત કરી હતી કે આવતા 10 વર્ષમાં 10 હજાર CNG ડિસ્ટ્રીબ્યૂશન આઉટલેટ ખોલવામાં આવશે. જો પર્સનલ કાર ગ્રાહકો CNG માં શિફ્ટ થઇ જાય છે તો આશરે 2 લાખ કરોડ રૂપિયાનું પેટ્રોલ ઓછું આયાત કરવું પડશે.
મારૂતિએ આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે 1 એપ્રિલ 2020થી નવા એમિશન નોર્મ્સ લાગૂ થયા બાદ ડિઝલ ગાડીઓનો ખર્ચ ખૂબ વધી જશે, એટલા માટે તેઓ એનું પ્રોડક્શન બંધ કરશે. કંપનીને આશા છે કે CNG અને હાઇબ્રિડ ગાડીઓના વેંચાણમાં વધારાથી ડિઝલ ગાડીઓનું ઉત્પાદન બંધ કરવાની ભરપાઇ થઇ જશે.
જણાવી દઇએ કે મારૂતિની પાસે હાલ ઑલ્ટો, ઑલ્ટો કે 10, વેગનઆર, સિલેરિયો, ડિઝાયર ટૂર એસ, ઇકો, સુપર કેરી જેવા મોડલના CNG વેરિયન્ટ છે. તો બીજી બાજુ કંપનીની પોર્ટફોલિયોમાં કુલ 16 ગાડીઓ છે.