ગુજરાતમાં કોરોનાને કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિત તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલ અનલૉક ચાલી રહ્યું છે તેવામાં રાજ્યના કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓમાં વેપારી-દુકાનદારો દ્વારા સ્વચ્છાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
રાજ્યમાં કોરોનનો કહેર યથાવત્
કેટલાક જિલ્લાઓના વેપારીઓએ આંશિક લૉકડાઉન કર્યું
વેપારીઓ અને દુકાનદારો દ્વારા આંશિક લૉકડાઉનનો લેવાયો નિર્ણય
અનલૉક વચ્ચે વેપારીઓ આંશિક લૉકડાઉનનો નિર્ણય કર્યો છે. જેમાં ભાવનગર, જામનગર, બોટાદ, ભરૂચ, માલપુર, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠા, તાપી અને જૂનાગઢમાં હાલ આંશિક લૉકડાઉનનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ST વિભાગ દ્વારા પણ મહત્વ નિર્ણય
તો બીજી તરફ એસ.ટી. વિભાગ દ્વારા પણ મહત્વનો લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદથી સુરત જતી અને અમદાવાદથી વડોદરા જતી ST સેવા બંધ કરવામાં આવી છે. તો વડોદરાથી ભરૂચ જતી ST સેવા પણ બંધ કરવામાં આવી છે.
હિરા બજાર સ્વૈચ્છિક બંધનો રાખવાનો નિર્ણય
હીરા ઉદ્યોગમાં કેસ વધતા 19 જુલાઈ સુધી હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મીની બજાર, માનગઢ ચોક સહિત તમામ સેઈફ બંધ રહેશે. 20 જુલાઈથી આ હીરા બજારના સેઈફ ખોલવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કામકાજ ચાલુ રહેશે.
પાન-ગલ્લા પર AMCની તવાઈ
અમદાવાદમાં પાન-ગલ્લા પર AMCની તવાઈ બોલાવાઇ છે. નવા નિયમ મુજબ સોલિડ વેસ્ટ વિભાગનું ચેકીંગ હાથ ધરાયું છે. પાન-ગલ્લા પર પીચકારી મારેલ જોવા મળતા કાર્યવાહી હાથ ધરાઇ છે. જોધપુર પાસે સિવાસ પાન પાર્લર સિલ કરાયુ છે. અલગ અલગ ઝોનમાં સોલિડ વેસ્ટનું ચેકીંગ હાથ ધરાયું છે.
આ જિલ્લા અને તાલુકાઓમાં આંશિક લૉકડાઉનનો નિર્ણય
જિલ્લો / તાલુકો
કયા સમયે શું બંધ અને ચાલુ?
ક્યાં સુધી રહેશે અમલ?
બોટાદ
સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે
20 જુલાઈ
જામનગર
ચાની લારી, પાનના ગલ્લા અને દુકાનો સાંજે 6 વાગ્યા સુધી ચાલુ
20 જુલાઈ
ભાવનગર
- સોની બજાર સવારે 9 થી 4
- ઇલેક્ટ્રિક એસોસીએશન સવારે 9 થી 5
- રેડીમેડ કપડા ઉત્પાદકો સવારે 8 થી 5
- સલૂન વેપારીઓ સવારે 8 થી 5
- જથ્થાબંધ કરિયાણાના વેપારી સવારે 8 થી 2
નવી જાહેરાત સુધી
ભરૂચ
- તમામ દુકાનો સવારે 7 થી 4
- દૂધ અને મેડિકલ સ્ટોર આખો દિવસ ચાલુ
22 જુલાઈ
માલપુર (અરવલ્લી)
સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા
એક અઠવાડીયા માટે
પાલનપુર-ડીસા
- સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી જ બજારો રહેશે ખુલ્લા
- 4 વાગ્યા બાદ તમામ અવર જવર પર પ્રતિબંધ
- જીવનજરૂરિયાતની વસ્તુઓ પર પ્રતિબંધ નહીં
નવી જાહેરાત સુધી
મહેસાણા, ઊંઝા અને ખેરાલુ
- મહેસાણા અને ઊંઝા શહેરમાં બજાર સવારે 8 થી 2 કલાક સુધી જ ચાલુ
- ખેરાલુમાં બજાર સવારે 8 થી સાંજે 4 કલાક સુધી ચાલુ
- ઊંઝા APMC પણ બપોરે 2 કલાકે બંધ
- ખેરાલુમાં સવારે 7 થી 4 વાગ્યા સુધી બજાર ખુલ્લું રહેશે
26 જુલાઈ
ગોધરા અને હાલોલ
સવારે 8 થી 4 સુધી વેપાર ધંધા ચાલુ રહેશે
નવી જાહેરાત સુધી
વ્યારા
સવારે 8 થી બપોરે 2 સુધીજ માર્કેટ ચાલુ રહેશે
નવી જાહેરાત સુધી
જૂનાગઢ
સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો
નવી જાહેરાત સુધી
સુરત
- તમામ દુકાનો સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી
- મેડિકલ,દૂધ ડેરીની દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
- નિયમનું પાલન નહી કરના સામે દંડનીય કાર્યવાહી
- હીરા બજારના મીની બજાર, માનગઢ ચોક સહિત તમામ સેઈફ 19 જુલાઈ(6 દિવસ) સુધી બંધ રહેશે
નવી જાહેરાત સુધી
(20 જુલાઈથી હીરા બજારના સેઈફ ખોલવામાં આવશે)
રાજકોટ
- સોની બજાર સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લા
- બજાર એસોશિએશન સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી દુકાન ખોલશે
- કાપડ બજાર સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી દુકાન ખોલશે
- દાણાપીઠ એસો. સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી દુકાન ખોલશે
નવી જાહેરાત સુધી
મોરબીમાં વધતા કેસને લઇ કલેકટરએ જાહેરનામું
મોરબીમાં વધતા કેસને લઇ કલેકટરએ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પાન-માવાની દુકાનો પર 4થી વધુ વ્યક્તિઓ ઉભા રહેવા પર પ્રતિબંધ લગાવાયો છે. ચા, કોફી અને નાસ્તાની દુકાનોને પણ આગામી 31 જુલાઈ સુધી બંધ રાખવા આદેશ આપ્યા છે. મામલતદાર કચેરીઓમાં જનસેવા કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે. આગામી 31 જુલાઈ સુધી જાહેરનામું અમલી રહેશે.