દેશભરમાં કોરોના અને ઓમિક્રોન તરખાટ મચાવ્યો છે.દરરોજ વધી રહેલા આંકડાએ ટૅન્શન વધાર્યું છે ત્યારે દેશભરના રાજ્યોના આરોગ્યમંત્રીઓની કેન્દ્રીય આરોગ્યમંત્રીએ આવતીકાલે બેઠક બોલાવી છે.
કોરોનાના વધતા કેસ વચ્ચે મોટા સમાચાર
મનસુખ માંડવિયા આવ્યા એક્શનમાં
સોમવારે રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
ચિંતાજનક રીતે વધી રહેલા કોરોનાના આંકડા વચ્ચે મોદી સરકાર કડક એક્શન લેવાની તૈયારીઓમાં જોતરાઈ છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ દેશભરના રાજ્યોના આરોગ્યમંત્રીઓની તાબડતોબ એક બેઠક બોલાવી છે.
Union Health Minister Mansukh Mandaviya to interact with state health ministers tomorrow over the COVID-19 situation: Govt Sources
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની સ્થિતિ અને સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઈલેવલ બેઠક બોલાવી હતી. જેમાં પ્રધાનમંત્રી કાર્યાલયના ઉચ્ચાધિકારીઓ, ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સહિતના પદાધિકારીઓ સાથે મંથન કર્યું હતું.
PM મોદીએ બોલાવી હાઈલેવલ મીટિંગ
કોરોના મહામારીની ત્રીજી લહેરની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ સ્વાસ્થ્ય મંત્રાલયના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને દેશમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિની ચર્ચા કરી હતી. સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગાબા, ગૃહસચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણ, ICMRના ડીજી સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યાં હતા.
Delhi: Prime Minister Narendra Modi chairs a meeting to review the COVID-19 situation in the country, through video conference pic.twitter.com/EY5u7LAaC3
આજની બેઠકની ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ 26 નવેમ્બર અને 22 ડિસેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બન્ને મીટિંગમાં પ્રધાનમંત્રીએ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે પણ નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં પીએમ મોદીએ રિમોટ એરિયામા વેક્સિન અને દવાના સપ્લાય માટે આઈટી ટૂલ્સનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.