મનોજ બાજપેયીની ધ ફેમીલી મેનની સેકન્ડ સિઝનની જાહેરાત થઈ ગઈ છે અને રિલીઝ ડેટ પણ જણાવી દેવામાં આવી છે. પણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમને લીધે તેમાં અડચણો આવી શકે છે.
એમેઝોન પ્રાઇમની બે વેબ સિરીઝ વિવાદમાં
ધ ફેમિલી મેન-2નાં મેકર્સ રિલીઝ ડેટ લંબાવી શકે છે
ફર્સ્ટ સિઝન બાદ ધ ફેમિલી મેન-2 માટે કાગડોળે રાહ
ફર્સ્ટ સિઝનમાં મનોજનું દમદાર પર્ફોર્મન્સ
મનોજ બાજપેયીની અપકમિંગ વેબ સિરીઝ ધ ફેમિલી મેન-2ને લઈને તેનાં ફેન્સ ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યાં છે. ફર્સ્ટ સિઝનમાં શાનદાર પર્ફોર્મન્સ આપીને તેનાં સેકન્ડ પાર્ટની રાહની કાગડોળે જોવાઈ રહી હતી. હવે જ્યારે તેની રિલીઝ ડેટ જાહેર કરાઈ છે ત્યારે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે કદાચ આ વેબ સિરીઝની રિલીઝ ડેટ પોસ્ટપોન થઈ શકે છે.
દરેક પ્રકારનાં વિવાદથી દૂર રહેવા માંગે છે
હાલ વેબ સિરીઝ તાંડવ અને મિર્ઝાપુરને લીધે ખૂબ વિવાદ ચાલી રહ્યો છે. બંને સિરીઝ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી હતી અને સમાજનો એક વર્ગ આ સિરીઝ વિરુદ્ધ ખુલીને સામે આવ્યો છે. આ બંને સિરીઝ પર કેસ પણ દાખલ કરવામાં આલ્યો છે અને તેનાં લીધે રાજકારણ પણ ગરમાયુ છે. જોકે ધ ફેમિલી મેનમાં એવા કોઈ આપત્તિજનક દૃશ્યો કે ડાયલોગ નથી પણ દરેક પ્રકારનાં વિવાદથી દૂર રહેવા માટે તેની રિલીઝ ડેટ લંબાવાઈ શકાય તેમ જણાઈ રહ્યું છે.
મિર્ઝાપુર અને તાંડવને લીધે એમેઝોન સચેત બન્યુ
12 ફેબ્રુઆરીનાં રોજ ધ ફેમિલી મેન-2 રિલીઝ થશે તેવી જાહેરાત કરી દેવામાં આવી હતી. જેની પહેલી સિઝનમાં મનોજ બાજપેયીની દમદાર એક્ટિંગને લીધે તે એક થ્રિલિંગ સિઝન બની ગઈ હતી. માટે તેની સેકન્ડ સિઝનને લઈને લોકોની આતુરતા વધી રહી છે. જોકે એમેઝોન પ્રાઇમ તરફથી ધ ફેમિલ મેન-2 અંગે સાવધાની રાખવામાં આવી રહી છે તે વધારે આશ્ચર્ય નથી પમાડતુ. એમેઝોનની વેબ સિરીઝ મિર્ઝાપુર અને તાંડવના વિવાદને લીધે એમેઝોન પ્રાઇમ હવે સચેત બની ગયું છે.