નવી દિલ્હીઃ તમામ વિવાદોને વિરામ લગાવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે મનોહર પર્રિકર ગોવા સરકારનું નેતૃત્વ કરશે. પર્રિકરની બીમારીને લઇને આ કેટલીક અટકળો ચાલી રહી હતી કે ભાજપ મુખ્યમંત્રી પદનો કારભાર કોને સોંપી શકે છે. આ તમામ શક્યતાઓ વચ્ચે કોંગ્રેસે પણ રાજ્યપાલ મૃદુલા સિન્હા સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
જણાવી દઇએ કે લાંબા સમયથી ચાલી રહેલ પૂર્વ રક્ષા મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને શનિવારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઇમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત લથડતા રાજ્યમાં તેની જગ્યા પર કોઇ અન્ય નવા મુખ્યમંત્રી બનાવવાની શક્યતાઓ લગાવાઇ રહી હતી.
गोवा प्रदेश भाजपा की कोर टीम के साथ चर्चा कर यह निर्णय लिया गया है कि गोवा के मुख्यमंत्री श्री @manoharparrikar जी ही गोवा सरकार का नेतृत्व करते रहेंगे।
प्रदेश सरकार के मंत्रिमंडल व विभागों में बदलाव शीघ्र ही किया जाएगा।
અમિત શાહે રવિવારે ટ્વીટ કરી જણાવ્યું કે ગોવા પ્રદેશ ભાજપની કોર ટીમની સાથે ચર્ચા કરી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર જ ગોવા સરકારનું નેતૃત્વ કરતા રહેશે. પ્રદેશ સરકારના મંત્રિમંડળ અને વિભાગોમાં ફેરફાર તાત્કાલીક કરવામાં આવશે.
ઉલ્લેખનયી છે કે પર્રિકર અગ્નાશય કેન્સરથી પીડિત છે. પર્રિકર 6 સપ્ટેમ્બરે જ અમેરિકાથી સારવાર કરાવીને ભારત પરત ફર્યા છે. ત્યાં તેમણે એક અઠવાડીયા સુધી સારવાર કરાવી હતી. આ પહેલા મુખ્યમંત્રી પર્રિકરે ભાજપ અધ્યક્ષ અમિત શાહને વિનંતી કરી હતી કે રાજ્યના નેતૃત્વ માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.