કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોઘન બિલને રજૂ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર હુમલો કર્યો. જેના પર કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી (Manish Tiwari) એ પલટવાર કરતા કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ બંધારણની વિરુદ્ધ છે.
અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોઘન બિલને રજૂ કર્યું
નાગરિકતા બિલ રજૂ કરવાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા
નાગરિકતા સંશોધન બિલ બંધારણની વિરુદ્ધ છે : મનીષ તિવારી
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ અમિત શાહ પર પલટવાર કર્યો. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ બંધારણની વિરુદ્ધ છે. આ બિલ મૂળભૂત આધારનું ઉલ્લંઘન કરે છે. આ બિલ બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આંતરરાષ્ટ્રીય સંધિઓ પણ છે જે કહે છે કે કોઇપણ શરણાર્થી જો આપને ત્યાં શરણ માંગે છે તો તમે ઇનકાર કરી ન શકો અને ન એ જોવામાં આવશે કે તેઓનો ધર્મ શું છે.
બિલ ભારતની પરંપરાની વિરુદ્ધ છે : મનીષ તિવારી
મનીષ તિવારીએ અમિત શાહ પર પલટવાર કરતા કહ્યું કે, કોઇપણ શરણાર્થી આપણી પાસે શરણ માંગે છે તો આપણું કર્તવ્ય બને છે કે તેનો ધર્મ જોયા વિના, તેને શરણ આપીએ. આ બિલમાં વિરોધાભાસ છે. આ બિલને ફરીથી જોવાની જરૂર છે. આ બિલ ભારતની પરંપરાની વિરુદ્ધ છે. ભારતનો મૂળભૂત સિદ્ધાંત રહ્યો છે કે, આપણે ધર્મ જોયા વિના માનવીય આધાર પર શરણ આપીએ.
Manish Tewari,Congress in Lok Sabha: Today Home Minister said that Congress is responsible for partition on basis of religion. I want to make it clear that the foundation for two nation theory was laid in 1935 in Ahmedabad by Savarkar in a Hindu Mahasabha session, & not Congress https://t.co/Nvf79LQSW5pic.twitter.com/vUq5cqnLny
મનીષ તિવારીએ અમિત શાહના એ નિવેદન પર પલટવાર કર્યો જેમા તેઓએ કહ્યું કે દેશના ભાગલા માટે કોંગ્રેસ જવાબદાર છે. મનીષ તિવારીએ કહ્યું કે હું અહીં સ્પષ્ટ કરવા માગુ છું કે, ટૂ નેશન થિયરીને 1935માં અમદાવાદમાં સાવરકરે હિન્દૂ મહાસભાના સત્રમાં રાખી હતી, કોંગ્રેસે નહીં.
BJPનો ભારતનો વિચાર વિભાજનકારી : અભિષેક બેનર્જી
ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જીએ નાગરિકતા બિલનો વિરોધ કરતા કહ્યું કે, જો આ બિલને આજે સ્વામી વિવેકાનંદ જોતા, તો તેમને ઘણો આઘાત લાગતો કેમકે આ ભારત માટે તેમના વિચારોની વિરુદ્ધ છે. બીજેપીનો ભારતનો વિચાર વિભાજનકારી છે. જો આપણે મહાત્મા ગાંધીના શબ્દો પર ધ્યાન નહીં આપીએ અને સરદાર પટેલની સલાહ પર ધ્યાન નહીં આપીએ તો આ વિનાશકારી બનશે.
Abhishek Banerjee,TMC in Lok Sabha: Swami Vivekananda would be shell shocked if was here seeing this bill as it is against his idea of India. BJP's idea of India is divisive. It will be disastrous if we ignore words of Mahatma Gandhi and not heed advice of Sardar Patel. pic.twitter.com/TpCGnocrNu
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોઘન બિલને રજૂ કર્યું. લોકસભામાં જોરદાર વિરોધ વચ્ચે સોમવારે જ્યારે બિલ રજુ થયું તો વિપક્ષ તરફથી તેના પર મતદાનની માંગ કરાઇ. જ્યારે વોટિંગ થયું તો બિલ રજૂ કરવાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા.