મનીષ સિસોદિયાને બળજબરીથી ફસાવવાનું ષડયંત્ર, સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. મેં આ વિશે 3-4 મહિના પહેલા કહ્યું હતું
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
થોડા દિવસોમાં CBI મનીષ સિસોદિયાની ધરપકડ કરવા જઈ રહી છે: કેજરીવાલ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ગંભીર આરોપ લગાવ્યો છે, વિગતો મુજબ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. તેમની સામે ષડયંત્ર રચાયું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મનીષ સિસોદિયાને બળજબરીથી ફસાવવાનું ષડયંત્ર છે. થોડા દિવસોમાં સીબીઆઈ મનીષ સિસોદિયાની ધરપકડ કરવા જઈ રહી છે. મેં આ વિશે 3-4 મહિના પહેલા કહ્યું હતું
શું છે સમગ્ર ઘટના ?
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારની દારૂની નીતિની સીબીઆઈ તપાસ થશે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ એલજી વીકે સક્સેનાએ આ ભલામણ કરી છે. ખાસ વાત એ છે કે, આ રિપોર્ટમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે આ લોકો મનીષની ધરપકડ કરવા જઈ રહ્યા છે. હવે આપણા દેશની અંદર એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પહેલા નક્કી કરવામાં આવે છે કે કયા વ્યક્તિને જેલમાં મોકલવો. ત્યારપછી તેની સામે બનાવટી ખોટો કેસ કરવામાં આવે છે.
The Delhi Lt Governor has recommended a CBI Probe into CM Arvind Kejriwal's Liquor Policy which directly names Delhi's Deputy Chief Minister Manish Sisodia.