મમતા બેનર્જી 3 દિવસ દિલ્હી રહેવાના છે જ્યા તેઓ પીએમ મોદી અને અમિત શાહને મળશે. સાથેજ તેઓ ભાજપ સાંસદ વરૂણ ગાંધી સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે.
મમતા બેનર્જી 3 દિવસના દિલ્હી પ્રવાસે
PM મોદી અને અમિતશાહ સાથે કરશે મુલાકાત
ભાજપ સાંસદ વરૂણ ગાંધી સાથે પણ કરી શકછે મુલાકાત
29 નવેમ્બરથી સંસદનું શિયાળું સત્ર શરૂ થઈ રહ્યું છે. પરંતુ તે પહેલાજ વિપક્ષના નેતાઓની મીટિંગ શરૂ થઈ ગઈ છે. શિયાળું સત્ર શરૂ થાય તે પહેલાજ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્રણ દિવસીના પ્રવાસે દિલ્હી પહોચ્યા છે. તેઓ 22 થી 25 નવેમ્બરના રોજ દિલ્હીમાં રહેશે. જ્યા તેઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.
અગાઉ ચૂંટણી જીત્યા બાદ મમતા બેનર્જી દિલ્હી આવ્યા હતા
આ સિવાય મમતા બેનર્જી દિલ્હીમા ભાજપ સાંસદ વરૂણ ગાંધી સાથે પણ મળી શકે છે. અગાઉ મે મહિનામાં ચૂંટણી જિત્યા બાદ જૂનમાં મમતા બેનર્જી દિલ્હી આવ્યા હતા. જ્યા તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કમલનાથ તેમજ આંનદ શર્મા જેવા મોટા નેતાઓ સાથે મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં વિપક્ષ ભાજપ કરતા વધારે મજબૂત બનશે.
વરૂણ ગાંધી ટીએમસીમાં શામેલ થાય તેવી શક્યતા
મમતા બેનર્જીએ તે સમયે કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષ ઈતિહાસ રચશે. આપને જણાવી દઈએ કે વરૂણ ગાંધી સાથેની મુલાકાતને લઈને એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તેઓ ભાજપ છોડીને ટીએમસીમાં શામેલ થઈ શકે છે. હાલજ વરૂણ ગાંધીને તેમજ મેનકા ગાંધીને પાર્ટીના રાષ્ટ્રીય કારકરણીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
કૃષિ કાયદા રદ થતા વિપક્ષ હવે વિરોધ નહી કરી શકે
ઉલ્લેખનીય છે કે હાલજ પીએમ મોદીએ ત્રણ કૃષિ કાયદા રદ કર્યા છે. જેને લઈને વિપક્ષ દ્વારા જુદી જુદી રીતે ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે. ખરેખરમાં આ ત્રણેય કૃષિ કાયદાને લઈને વિપક્ષ પાસે વિરોધ કરવાનો મુદ્દો હતો પરંતુ આ કાયદાઓ રદ થયા બાદ વિપક્ષ પાસે એક મુદ્દો ઓછો થયો છે. જોકે સંસદમાં શિયાળુ સત્ર શરૂ થશે તે સમયે આ કાયદાઓને પૂરી રીતે રદ કરી દેવામાં આવશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે.