કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેના બન્ને ઉમેદવારો હાલ ચુંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગે તરફથી ઘણા નિવેદનો સામે આવ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને બે ઉમેદવાર આમને સામને
મલ્લિકાર્જુન ખડગે અને શશી થરુરનો ચુંટણી પ્રચાર
ખડગે આ ચુંટણીને લઈને આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે વોટિંગ થવાનું છે. પરિણામ 19 ઓક્ટોબરે બહાર આવશે. કોંગ્રેસના બે દિગ્ગજ નેતા ચૂંટણી મેદાનમાં છે. એક તરફ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ પદ માટે લડી રહ્યા છે, તો બીજી તરફ શશિ થરૂર છે, જેમણે કહ્યું છે કે તેઓ કોઇપણ સંજોગોમાં પીછેહઠ નહીં કરે. જો કે, એવા અહેવાલો છે કે કોંગ્રેસે શશિ થરૂરને માત્ર વિપક્ષ સામેની છબી તરીકે રજૂ કર્યા છે, જ્યારે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર છે. ખડગેએ હવે આ ખબરો પર પ્રતિક્રિયા આપી છે.
'આ ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઈ રહી છે'
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આવા અહેવાલો એકદમ ખોટા છે. "હું 55 વર્ષથી પાર્ટીમાં છું, પ્રતિનિધિઓ મને મળવા આવી રહ્યા છે. મારું કામ તેમને મળવાનું અને મત માંગવાનું છે. આ ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઈ રહી છે."
J&K | Reports false. Been in party for 55 yrs, delegates coming to meet me. Work is to meet them, ask for votes. Election happening in fair way: Cong Presidential candidate M Kharge, on reports of him being projected as official candidate & Shashi Tharoor as an image against oppn pic.twitter.com/K3x9sj1G7X
આ પહેલા પણ શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું
આ પહેલા શ્રીનગરમાં તેમણે કહ્યું હતું કે, "આ આંતરિક ચૂંટણી છે. તે ઘરના બે ભાઈઓ જેવું છે, જે લડતા નથી, પરંતુ બોલી રહ્યા છે અને એકબીજાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે." ખડગેએ કહ્યું કે, ચૂંટણી પ્રચાર એ નથી કે કોઈ ખાસ ઉમેદવાર જો પાર્ટીના અધ્યક્ષ બને તો શું કરશે, પરંતુ તેઓ સાથે મળીને શું કરી શકે છે.
"જો હું અધ્યક્ષ બનીશ તો..."
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "હું માનું છું કે... હું શું કરીશ તે પ્રશ્ન નથી. સવાલ એ છે કે અમે બંને દેશ અને પાર્ટી માટે એક સાથે શું કરીશું, તે મહત્વનું છે, ખડગેએ કહ્યું કે, જો તેઓ અધ્યક્ષ બનશે, તો તેઓ પાર્ટીના ઉદયપુર ઘોષણાપત્રને લાગુ કરશે.
'અમિત શાહ દેશના ભાગલા પાડવાની વાત કરે છે'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર દેશના ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો. ખડગેએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. ખડગેએ કહ્યું કે, આજે દેશ સમૃદ્ધ થઈ રહ્યો છે તો તેનું કારણ કોંગ્રેસ પાર્ટી છે. "અમિત શાહને દેશના ભાગલા પાડવાની વાત કરવાની અને જ્યાં પણ જાય ત્યાં દેશને એક ન કરવાની ટેવ છે.