ઢોર નિયંત્રણ બિલ રદ કરવાની માગ સાથે મુખ્યમંત્રી સાથે માલધારી આગેવાનોની થઇ બેઠક
ઢોર નિયંત્રણ બિલ રદ કરવાની માગ
મુખ્યમંત્રી સાથે માલધારી આગેવાનોની બેઠક થઇ પૂર્ણ
અમારી માગણી પૂર્ણ નહિ થાય તો વિરોધ પ્રદર્શન કરીશુઃ રઘુ દેસાઈ
રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો હાલ પૂરતો મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ માલધારી સમાજ દ્વારા આ કાયદો રદ કરવાની માગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. માલધારી મહાપંચાયતના આંદોલનના પડઘા હતા. સરકારે ફરી માલધારી સમાજના આગેવાનોને આમંત્રણ આપ્યું હતું. ગાંધીનગરમાં માલધારી મહાપંચાયતના આગેવાનોની બેઠક યોજાઈ હતી
માલધારી આગેવાનોની CM સાથેની બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ નિવેદન આપતા જણાવ્યું કે PM પ્રવાસને લઈને વિરોધ કાર્યક્રમ રદ રાખ્યો છે. 15 દિવસ બાદ ફરી મુખ્યમંત્રી સાથે બેઠક છે. અમારી માગણી પૂર્ણ નહિ થાય તો વિરોધ પ્રદર્શન કરીશુ. 3 દિવસ બાદ અમારા સમાજની બેઠક કરીશુ.
કાયદો રદ કરવામાં આવે માંગણી છે- રઘુ દેસાઇ
સીએમ સાથે બેઠક બાદ રઘુ દેસાઇએ નિવેદન આપતા જણાવ્યું કે અમારી કાયદો રદ કરવાની માગણી છે.નંદીની હોસ્ટેલ બનવાની માંગણી છે. દરેક જિલ્લામાં સરકારી ગૌશાળા બનાવમાં આવે તેમજ ગૌચર ભૂમિ પરત મળવી જોઈએ. તથા શહેર વિસ્તારમાં અમારા વાડા નામે કરી આપવામાં આવે તેમ રઘુ દેસાઈએ જણાવ્યુ હતું.
માલધારીઓની સરકાર પાસે માંગ શુ ?
ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ વિધેયક - 2022 રદ કરવામાં આવે
મુંબઈની R.A.કોલોની માફક વસાહતો માટે જમીન ફાળવવામાં આવે
રખડતા આખલા માટે હોસ્ટેલ તથા દરેક જિલ્લામાં ગૌશાળાની વ્યવસ્થા કરવામાં આવે
સુપ્રીમકોર્ટના જજમેન્ટ પ્રમાણે 100 ઢોરે 40 એકર જમીન નીમ કરવામાં આવે
ગૌચરોના દબાણો દૂર કરવામાં આવે
પશુઓને રાખવા માટેના વાડાઓ પશુપાલકોના નામે કરવામાં આવે
પશુ પાલકો 5 એકર જમીન ખેતી માટે ખરીદી શકે તે જોગવાઈ કરવામાં આવે
પશુપાલકોને ખેડૂતની વ્યાખ્યામાં ગણવામાં આવે
ગોપાલક વિકાસ નિગમ,ઘેટા ઉન વિકાસ નિગરને 500 કરોડ ફાળવવામાં આવે
સહકારી ક્ષેત્રમાં ગોપાલક મંડળીઓને મત અધિકાર પહેલાની માફક આપવામાં આવે
જશોદાનગર,અમરાઈવાડી, જેવી વસાહતોને માલિકીના હક્ક આપવામાં આવે
ગીર,બરડા આલેચના માલધારીઓને બંધારણ પ્રમાણે STનો લાભ આપવામાં આવે
જંગલની જમીનો,વિડિઓ ચરિયાણ માટે માલધારીઓને આપવામાં આવે
રાજસ્થાનની માફક ગુજરાતમાં પણ પશુપાલકોને પ્રતિ લીટરે રૂ.5 સબસીડી આપવામાં આવે
ફડચામાં ગયેલી ગોપાલક મંડળીની જમીનો ફરીવાર ગોપાલકોને આપવામાં આવે
પકડાયેલ પશુઓને લઈ 90-અ મુજબની પોલીસ ચાર્જશીટ રદ કરવામાં આવે
બેરોજગારી ઘટાડવા પશુપાલક પરિવારોને અન્ય નોકરીની વ્યવસ્થા કરાવામાં આવે
સર્કિટ હાઉસ ખાતે મળી હતી બેઠક
મહત્વનું છે કે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે માલધારી સમાજની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસી ધારાસભ્ય રઘુ દેસાઈ, લાખા ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો તેમની સાથે સંતો -મહંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઢોર નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજના આગેવાનો મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે રાજ્ય સરકારે વિધાનસભામાં તાજેતરમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદા પસાર કર્યો છે. જેને લઈને માલધારી સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. જો કે માલધારીઓના ભારે વિરોધને પગલે હાલ પૂરતો કાયદો મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઢોર નિયંત્રણ બિલમાં શું છે જોગવાઇ ?
શુક્રવારે વિધાનસભામાં 6થી 7 કલાકની ચર્ચા બાદ બિલ થયું પાસ
લાંબી ચર્ચા બાદ દંડની રકમમાં કરવામાં આવ્યો ઘટાડો
અગાઉ બિલમાં 10 હજારથી 50 હજાર રૂપિયાના દંડની હતી જોગવાઈ
ચર્ચા બાદ દંડની રકમ 5 હજારથી 25 હજાર રૂપિયા કરવામાં આવી
શહેરી વિસ્તારોમાં પશુ રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે
મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવી પડશે
કાયદાના ભંગ બદલ થઈ શકે છે જેલની સજા
લાયસન્સ મળ્યાના 15 દિવસમાં પશુને ટેગ લાવવાની રહેશે
પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ નહીં કરી શકાય
પશુ પકડવા ગયેલા કર્મચારીઓ પર હુમલો કરવાના કેસમાં થશે કડક કાર્યવાહી