મખાણા ઘણાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે જો તમે પાતળા શરીરથી પરેશાન થઇ ગયા હોવ તો મખાણાના સેવનથી તમારું વજન વધશે અને સાથે જ મસલ્સ મજબૂત થવામાં મદદ મળશે. આ સિવાય મખાણા ખાવાથી ઘણી પ્રકારની બિમારીઓને દૂર થશે જાણો મખાણા ખાવાના ફાયદા વિશે....
- મખાણામાં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેડ્સ મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ આયર્ન અને ઝિંકથી ભરપૂર પ્રમાણ હોય છે. આ સિવાય મખાણામાં ઘણાં એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે. પોતાના આ ગુણોના કારણે મખાણાને સુપર ફૂડ માનવામાં આવે છે.
- મખાણામાં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે જેથી કેલરીનું પ્રમાણ ઓછું આ કારણે તે ખાવાથી વજન વધારવામાં તે ઉપયોગી થાય છે. વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જો તમે વજન ઘટાડવા માગો છો તો રોસ્ટેડ મખાણાને બ્રેકફાસ્ટમાં ખાવ. આ તમારી ભૂખને શાંત કરશે અને ઘણાં હેલ્ધી છે. મખાણાને શેકવા માટે ગાયનું ઘી કે લો-ફેટ બટરનો ઉપયોગ કરી શકાય.
જો તમે વજન વધારવા માગતા હોવ તો મખાણાનું સેવન કરી શકો છો. આના માટે તમારે સવારે અને સાંજે મખાણાનું સેવન કરવાનું રહેશે.
– સૌથી પહેલા એક કપ મખાણાના દાણાના નાના-નાના ટૂકડા કરી લો.
– 4-5 બદામના નાના ટૂકડા કાપી લો અને 8-10 દ્રાક્ષ નાખીને સારી રીતે મિક્ષ કરી લો.
– હવે અડધો લીટર દૂધ અને એક ચમચી ખાંડ ભેળવીને તેને ઉકાળો. થોડા સમય પછી દૂધમાં તે સામગ્રી નાખી દો અને ફરી ઉકળવા દો.
– હવે દૂધ બળીને અડધું થઈ જાય તો તેને ઠંડું કરીને ખાઈ લો વજન વધવા લાગશે.
- મખાણા ઉંમરની અસરને બેઅસર કરે છે. આ નટ્સ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોવાના કારણે ઉંમર લોક સિસ્ટમ તરીકે કામ કરે છે અને તમને લાંબા સમય સુધી યુવાન રાખશે. મખાણા પ્રીમેચ્યોર એજિંગ એટલે કે સમય પહેલા આવતા ઘડપણ પ્રીમેચ્યોર વ્હાઈટ હેર કરચલીઓ અને એજિંગના લક્ષણોના જોખમથી બચાવવામાં મદદરુપ થાય છે.
- મખાણાનું સેવન કિડની અને હ્રદય માટે ફાયદારુપ છે. કિડનીને મજબૂત બનાવવા અને લોહીને પોષણ મળે તેમાં મદદરુપ થાય છે. નિયમિત રીતે મખાણા ખાવાથી શરીરની નબળાઈઓ દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
- મખાણા કેલ્શિયમથી ભરપૂર હોય છે માટે તેનાથી સાંધાના દુખાવા આર્થરાઈટિસ વગેરેમાં ફાયદારુપ બને છે. સાથે જ તેનું સેવન કરવાથી શરુરના કોઈ પણ અંગમાં પીડા હોય જેમ કે કમર કે ઘૂંટણની પીડા તેમાં સરળતાથી રાહત મળે છે.