ઉતરાયણનો તહેવાર હિન્દી કેલેન્ડર અનુસાર પોષ મહિનાની એ તિથિએ મનાવવામાં આવે છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ તહેવાર 14 અને 15 તારીખે ઉજવવામાં આવે છે. અલગ અલગ રાજ્યમાં તહેવારોના અલગ અલગ નામ શા માટે રાખવામાં આવ્યા છે તે જાણો.
ઉતરાયણના છે અલગ અલગ નામ
અલગ રાજ્યોમાં અલગ નામ છે ઉતરાયણના
જાણો ક્યાં કયું નામ છે પ્રચલિત
રાજસ્થાન અને ગુજરાત
મકરસંક્રાંતિના દિવસે રાજસ્થાન અને ગુજરાતમાં પતંગ ઉડાડવાની પરંપરા છે. જેના કારણે ગુજરાતમાં પતંગ મહોત્સવના નામે આ તહેવાર ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પતંગ ઉડાવવા સિવાય આ દિવસે ઘરમાં સૂર્યપૂજા કરવા માટે ઘેવર, ફૈની, તલના લાડુ પણ બનાવવામાં આવે છે. આ ખાસ દિવસે અહીના લોકો મહિલાઓને સુહાગના સામાન આપવાનું શુભ ગણે છે.
તમિલનાડુ
મકરસંક્રાંતિનો તહેવાર તમિલનાડુમાં પોંગલના નામે ઓળખાય છે. આ દિવસે લોકો ઘરમાં સાફ સફાઈ કર્યા બાદ આંગણામાં લોટ અને ચોખાના લોટથી રંગોળી બનાવે છે. આ પછી માટીના વાસણમાં ખીર બનાવવામાં આવે છે. જેનો ભોગ પહેલાં સૂર્યદેવને ચઢાવવામાં આવે છે. તમિલનાડુમાં આ તહેવાર 4 દિવસ સુધી ઉજવવામાં આવે છે.
ઉત્તરપ્રદેશ
મકરસંક્રાંતિનો તહેવાર ઉત્તરપ્રદેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરમાં અડદની દાળની ખીચડી બનાવવામાં આવે છે. આ સિવાય લોકો આ દિવસે તલના લાડુ, તલના ગજક અને મગફળીના સ્વાદની પણ મજા માણે છે.
બિહાર- ઝારખંડ
મકરસંક્રાંતિના તહેવાર પર બિહાર અને ઝારખંડમાં ખીચડીની સાથે દહીં-ચૂડા (ચેવડો) બનાવવાની પરંપરા છે. આ સિવાય અહીંના લોકો રાતના ભોજનમાં તલથી બનેલા વ્યંજન ખાય છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિનો તહેવાર 3 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ સમયે મહારાષ્ટ્રની પારંપરિક પૂરણ પોળી ખાવામાં આવે છે. સાથે તલથી બનેલા વ્યંજનોને વહેંચવામાં આવે છે. તેની પાછળ જૂની કડવાશને ભૂલીને પહેલ કરવાની પરંપરા છે.