બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Major changes to regularize construction work: Important Bill passed without opposition in Assembly House, know the provisions

જાણવું જરૂરી / બાંઘકામ નિયમિત કરવા મોટા પાયે ફેરફાર: વિધાનસભા ગૃહમાં મહત્વનું આ બિલ વિના વિરોધે પાસ, જાણો જોગવાઇઓ

Vishal Khamar

Last Updated: 08:02 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં નાગરીકોના હિતમાં તથા આંતરમાળખાકીય સવલતોને વધુ સુદ્દઢ બનાવવા તેમજ અનઅધિકૃત બાંધકામોમાં રહેતા લોકોની સુખ-સલામતી જળવાઇ રહે તે માટે કટીબદ્વ છે.

  • અનઅઘિકૃત બાંઘકામો નિયમિત કરવા જરૂરીઃઋષિકેશભાઇ પટેલ
  • અનઅઘિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૨૨’ વિના વિરોધે પસાર કરાયું
  • નવી શ૨તની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહીં

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર નાગરીકોના હિતમાં તથા આંતરમાળખાકીય સવલતોને વધુ સુદ્દઢ બનાવવા તેમજ અનઅધિકૃત બાંધકામોમાં રહેતા લોકોની સુખ-સલામતી જળવાઇ રહે તે માટે કટીબદ્વ છે. શહેરોમાં વસતા સામાન્ય માનવીના હિતમાં અનઅઘિકૃત બાંઘકામો નિયમિત કરવા જરૂરી અને સમયની માંગ પણ છે. અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાથી મળેલા નાણાનો ઉપયોગ રાજ્યમાં આંતરમાળખાકીય સવલતો વધુ સુદ્દઢ બનાવવા માટે કરાશે તેમ શહેરી વિકાસ વિભાગ પ્રભાગનો હવાલો ધરાવતા મંત્રી ઋષિકેશભાઇ પટેલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલા ‘ગુજરાત અનઅઘિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૨૨’ની જોગવાઇઓ અંગે વિગતો આપતાં જણાવ્યુ હતું. 
બાંધકામોને બી.યુ. પરવાનગી સમકક્ષ માન્યતા મળી રહે તે માટે નીતિ ઘડવી આવશ્યક હતી
મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બાંધકામ પરવાનગી સિવાયના બાંધકામના પ્રકાર અને તેનો વ્યાપ જાણવા કરાયલા સેમ્પલ સર્વેમાં રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સત્તા મંડળો તેમજ નગરપાલીકા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મકાન - બાંધકામો બી.યુ. પરવાનની વિનાના જણાયા હતા. આથી બાંધકામોની સંખ્યાનો વ્યાપ તથા સેમ્પલ સર્વેની વિગતો ધ્યાને લેતા, બી.યુ. પરવાનગી ન મળેલ હોય તે તમામ બાંધકામોને બી.યુ. પરવાનગી સમકક્ષ માન્યતા મળી રહે તે માટે કોઈ ચોક્કસ પગલાં લેવા/નીતિ ઘડવી આવશ્યક હતી. 
મંત્રી પટેલે વિધેયક સંદર્ભે ગૃહમાં કહ્યું હતું કે તમામ પરિસ્થિતિ ધ્યાને લઇ તથા જૂના કાયદાની જોગવાઇઓ, નામ.સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશો તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લઇ, ‘Gujarat Regularisation of Unauthorised Development Ordinance, 2022’ લાવવાની આવશ્કતા ઉભી થઇ હતી. જે અંગે તત્કાલીન સમયે વિઘાનસભા સત્ર કાર્યરત ન હોઇ તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ રાજયપાલની મંજૂરી મેળવી તા.૧૭ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. 

રાજય સરકારની નીતિ સ્પષ્ટ કરવા નામદાર હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરાયો હતો
મંત્રી પટેલે તત્કાલીન સમયે વટહુકમ લાવવા માટેના કારણો અને ઉદ્દેશ્યો અંગે ગૃહમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૦માં અમદાવાદ અને રાજકોટ ખાતેની ખાનગી હોસ્પીટલમાં થયેલ અગ્નિ હોનારત સંદર્ભે નામ. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલ પી.આઇ.એલ.ના ઓર્ડરથી સી.જી.ડી.સી.આર. મુજબ અગ્નિ સલામતી માટે ૫ગલાઓ લેવા, બી.યુ. સિવાયના બિલ્ડીંગનો વ૫રાશ ના થાય તેની તકેદારી રાખવા, ફાયર એન.ઓ.સી. સિવાયના મ્યુનિસિ૫લ કોર્પોરેશન અને નગરપાલીકા વિસ્તારના બિલ્ડીંગોની માહિતી રજૂ કરવા, બી.યુ. સિવાયના બાંઘકામ માટે લીઘેલ ૫ગલાઓ તેમજ હોસ્પીટલના આઇ.સી.યુ.ને લગતી બાબતો માટે દિશા નિર્દેષ આપીને તે મુજબ કાર્યવાહી કરવા નામ. કોર્ટ દ્વારા સંબધિતોને સૂચના આપવામાં આવી હતી, ત્યારબાદ નામ.હાઇકોર્ટ દ્વારા તા.૧૧ જૂન ૨૦૨૧ના ઓર્ડરથી ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશન બાબતે એક્શન ટેકન રીપોર્ટ રજૂ કરવા અને બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોય એવા કિસ્સામાં સમયબદ્ધ રીતે શું પગલાં લેવામાં આવશે ? તે બાબતે રાજય સરકારની નીતિ સ્પષ્ટ કરવા નામદાર હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરાયો હતો.

મંત્રી પટેલે કહ્યુ હતું કે મોટા પાયા પર અનઅધિકૃત બાંધકામો અને બી.યુ. પરવાનગી વગર ના બાંધકામોને દુર કરવા, તોડી પાડવા કે ફેરફાર કરવાથી, અસંખ્ય માણસો ઘર વિનાના અને આજીવિકાના સાધન વગરના થવાની સંભાવના હોવાથી તથા કાયદો અને વ્યવસ્થા બગડવાની સંભાવના સાથે સાથે સામાન્ય માણસને મુશ્કેલી પડી શકે તેમ હોઇ, સમાજની આર્થિક અને સામાજિક વ્યવસ્થા પર પણ વિપરિત સ્થિતિ પેદા થવાની સંભાવના હતી, જે ઇચ્છનિય બાબત નથી. 

આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું અટકાવવા રાજય સરકાર માટે સમગ્ર રાજયના શહેરોમાં આવા અનઅધિકૃત મકાનો અને બાંધકામોને નિયમિત કરવા માટે યોગ્ય કાયદો ઘડી, કમ્પાઉન્ડીંગ ફી વસુલ કરી, આવા બાંધકામોને નિયમિત કરવા અનિવાર્ય બન્યા હતા તેમ મંત્રીએ ઉમેર્યું હતું. 
વિઘેયકની મહત્વની જોગવાઇઓ અંગે વિગતો આપતા મંત્રી પટેલે કહ્યું હતું કે રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.૦૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે. વટહુકમની તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૨થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન માલિક-કબજેદારોએ e-nagar પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિગ (ફકત ૫૦% માટે ફી લઈ), કોમન પ્લોટ (૫૦ % કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવા પાત્ર ઉપયોગ), સેનિટરી સુવિધા ફી લઈ નિયમબબદ્ધ થઇ શકશે. 

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે અરજીની તારીખથી છ માસમાં અનઅધિકૃત બાંધકામ કોઇપણ શરત સાથે કે તે સિવાય નિયમબદ્વ કરવા અંગે હુકમ અથવા નિયમબદ્વ કરવા માટેનો હુકમ કરવાનો   રહેશે. જ્યારે ફી ભરવાની સમય મર્યાદા બે માસની રહેશે. સત્તામંડળના નિર્ણયથી નારાજ થયેલ વ્યકિત, આ નિર્ણય મળ્યાના ૬૦ દિવસમાં અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી શકશે. અપીલ અધિકારીને જરૂર લાગે તો બીજા ૬૦ દિવસ અપીલ કરવા માટે આપી શકશે.

કોઇપણ જવાબદારીઓમાંથી છટકી શકશે નહીં
મંત્રી પટેલે કહ્યું હતું કે તા. ૦૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલાનું બાંધકામના આધાર માટે નિયત તારીખ પહેલાનો મિલકત ભોગવટા અંગે, મકાનવેરાની આકારણી/ઈલેક્ટ્રીસિટી બીલ રજૂ કરવાનુ રહેશે. ખોટી માહિતી રજૂ કરનાર અરજદાર સામે ફોજદારી કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી થઇ શકશે. નવી શ૨તની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહીં. અનધિકૃત બાંધકામ નિયમબદ્વ કરવા માટે રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાથી સંબઘિત માલીક કે કબજેદાર, એન્જીનીયર કે આર્કીટેકટ તેમની કોઇપણ જવાબદારીઓમાંથી છટકી શકશે નહીં.

આંતરમાળખાકીય સવલતો વધુ સુસજજ કરવા સુઘારણા કરાશે
અનઅધિકૃત બાંધકામ નિયમબદ્વ કરતાં એકત્ર થતી વસુલાતની રકમ “આંતરમાળખાકીય વિકાસ ભંડોળ” (Infrastructure Development Fund) તરીકે આંતરમાળખાકીય સવલતો વધુ સુસજજ કરવા, ફાયર સેફટી સવલતો ઉભી કરવા, પાર્કીગની જોગવાઇ કરવા તેમજ ૫ર્યાવરણ સુઘારણા માટે કરાશે.  મંત્રીએ વિધેયકની જોગવાઇઓ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જે કિસ્સામાં મળવાપાત્ર એફ.એસ.આઇ. ૧.૦ થી ઓછી હોય તેમાં, રહેણાંક ઉ૫યોગ સિવાયના (દા.ત. વાણિજય, શૈક્ષણિક, આરોગ્ય, ઔઘોગિક વિગેરે) બાંઘકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર FSI કરતા ૫૦ % વઘારે FSI થતી હોય તેવા બાંઘકામો નિયમબદ્ધ થઇ શકશે નહી. વઘુમાં પ્લોટની હદથી બહાર નિકળતા પ્રોજેકશનવાળા, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઇલેકટ્રીક લાઇન, ગેસ લાઇન અને જાહેર ઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામ આ અઘિનિયમ હેઠળ નિયમબદ્ધ થઇ શકશે નહી. 

રમત-ગમતના મેદાનમાં થયેલ અનઅઘિકૃત બાંઘકામ નિયમબદ્ધ થઇ શકશે નહી
આ સિવાય સરકારી, સ્થાનિક સત્તામંડળોની જમીનો ૫રના બાંઘકામ, ચોકકસ હેતુ માટે સંપાદન/ ફાળવણી કરાયેલ જમીનો, જાહેર રસ્તામાં આવતી જમીનો, જળ પ્રવાહ અને જળસ્ત્રોત જેવા કે તળાવ, નદી, કુદરતી જળપ્રવાહ વિગેરે, ઓબ્નોક્ષિયસ અને હેઝાર્ઙસ ઔધોગિક વિકાસના હેતુ માટે નિયત કરાયેલ વિસ્તારવાળા બાંઘકામો નિયમબદ્ધ થઇ શકશે નહી. જ્યારે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ રમત-ગમતના મેદાનમાં થયેલ અનઅઘિકૃત બાંઘકામ નિયમબદ્ધ થઇ શકશે નહી. ફાયર સેફટીના કાયદા મુજબ સુસંગત ન હોય, સ્ટ્રકચરલ સ્ટેબિલિટિની જરૂરીયાત જળવાતી ન હોય, રેરા કાયદા હેઠળ ઠરાવેલ અનઅઘિકૃત બાંઘકામ, ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ કાયદા, ૨૦૨૧ સાથે સુસંગત ન હોય તેવા બાંઘકામો નિયમબદ્ધ થઇ શકશે નહી તેમ મંત્રીએ ઉમેર્યું હતું. 
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે નિયત પાર્કીગની જોગવાઇ પૈકી ૫૦ % પાર્કીગ માલીક / કબ્જેદારે જે તે સ્થળે પુરી પાડવાની રહેશે. જે કિસ્સામાં ૫૦ % પાર્કીગની જરૂરીયાત જે તે સ્થળે પુરી પાડી શકાય તેમ ન હોઇ ત્યારે   નિર્દિષ્ટ સત્તામંડળ આવી સુવિધા ૫૦૦મી.ની ત્રિજયામાં ત્રણ માસમાં પૂરી પાડવા જણાવશે. બાકીના ૫૦ % પાર્કીગ માટે ફી લઈ બાંઘકામો નિયમબદ્ધ થઇ શકશે. આ અઘિનિયમની જોગવાઇથી અનધિકૃત વિકાસ અથવા તેના ભાગના નિયમિતકરણથી તે મકાન/ બિલ્ડીંગ માટે સી.જી.ડી.સી.આર. કે અન્ય સંબઘિત કાયદા હેઠળ આ૫વામાં આવતી વ૫રાશની પરવાનગી (બી.યુ.પી.) માનવામાં આવશે. 

મંત્રીએ કહ્યું હતું કે રાજય સરકાર દ્ધારા ફીનું ઘોરણ ખુબ જ વાજબી રખાયું છે જેથી મોટી સંખ્યામાં નાગરિકો આ અઘિનિયમની જોગવાઇઓનો લાભ લઇ શકે અને પોતાના મકાનો કે વ્યવસાયના એકમોને નિયમબદ્ધ કરાવી પોતાના જીવનમાં ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરી શકે તેવો અભિગમ છે. ૫રંતુ સરકાર આ સાથે ખાસ કરી હેતુફેર એટલે કે રહેણાંકના નકશા મંજૂર કરાવી સ્થળ ૫ર વાણિજય કે હોસ્પિટલ પ્રકારના બાંઘકામ કર્યા હોય તે માટે   નિયત કર્યા મુજબ બમણી ફી ચુકવવાની રહેશે. 

મંત્રી પટેલે જણાવ્યું હતું કે અન્ય રીતે બાંઘકામ મંજૂર નકશા પ્રમાણે કે સી.જી.ડી.સી.આર. પ્રમાણે જણાતું હોય ૫રંતુ પાર્કીગ નિયમ મુજબ રાખવામાં આવેલ ન હોવાથી વિકાસ નિયમિત થઇ શકતો ન હતો. આથી સરકાર દ્ધારા નિયમ મુજબના પાર્કીગના ક્ષેત્રફળ પૈકી ૫૦% નું પાર્કીગ જે તે જગ્યાએ કે ૫૦૦મી. ના અંતર સુઘીમાં પાર્કીગ આપી શકે તો બાકીના પાર્કીગ માટે ઉ૫ર મુજબ ફી લઇ નિયમબદ્ધ થઇ શકે. એટલે કે ૩૦૦ચો.મી.ના બાંઘકામમાં સી.જી.ડી.સી.આર. પ્રમાણે ૩૦% લેખે ૯૦ ચો.મી.નું પાર્કીંગ રાખવાનું થતુ હોય તો ૯૦ ચો.મી.ના ૫૦% એટલે કે ૪૫ ચો.મી.નુ પાર્કીંગ જે તે જગ્યાએ અથવા ૫૦૦ મી.ના અંતરમાં આ૫વાનું રહેશે. તેમજ બાકીના ૪૫ ચો.મી.ના સુચવેલ જંત્રી દર મુજબ રકમ વસુલીને આ   અનઅઘિકૃત બાંઘકામને નિયમિત કરવામાં આવશે.

આ ઉપરાંત સામાન્ય રીતે એક થી વઘુ મકાનો કે દુકાનોના કિસ્સામાં કબ્જેદાર/ માલીકની સંખ્યા એકથી વઘુ હોય, અનઅઘિકૃત વિકાસ નિયમિત કરવા માટેની અરજી બાબતે એકસુત્રતા થઇ શકતી નથી. તમામ કબ્જેદાર/ માલીક સાથે મળીને અરજી કરવા તૈયાર ન થાય તેવા કિસ્સામાં વિકાસ નિયમિત કરવો મુશ્કેલ બને છે. રાજય સરકાર દ્ધારા આ બાબતે ખાસ ઘ્યાન રાખીને કોઇ એક કબ્જેદાર/માલીક કે એક દુકાન કે મકાન માટે વિકાસ નિયમિત કરવા અરજી કરે તો ઘ્યાને લેવા માટે ૫ણ જોગવાઇ કરવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. 

કબ્જો ઘરાવનારાને અરજી કરવાની ૫રવાનગી આપી શકશે
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે જેમાં એક કરતા વઘુ માલીકો અથવા કબ્જો ઘરાવનારા અનઅઘિકૃત વિકાસની આંશીક અથવા સમગ્રત: સુવિઘા મેળવતા હોય તેવા કિસ્સામાં, આવા તમામ માલીકો અથવા કબ્જો ઘરાવનારાએ, મુકરર સત્તાઘિકારીને સંયુકત રીતે અરજી કરવાની રહેશે. સત્તાઘિકારીને યોગ્ય લાગે તેવી તે પ્રકારની તપાસ કર્યા ૫છી ખાતરી થાય તો તેઓ ઓછી સંખ્યામાં માલીકો અથવા કબ્જો ઘરાવનારાને અરજી કરવાની ૫રવાનગી આપી શકશે.

ગુજરાતમાં વસતા નાગરીકોને ગેરકાયદેસરતાના અભિશાપમાંથી મુક્તિ અપાવવાનું આ શ્રેષ્ઠ પગલું વર્તમાન સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે જે ગુજરાતીઓને સ્વાભિમાન બક્ષવાનો એક સરાહનીય પ્રયાસ છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં આજે ‘ગુજરાત અનઅઘિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૨૨’ વિના વિરોધે પસાર કરાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ