પીલીભીતના ગજરૌલીમાં પુરનપુર હાઈવે પર પીકઅપ એક ઝાડ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ભયાનક માર્ગ અકસ્માત
આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ
ઉત્તર પ્રદેશના CM યોગીએ શોક વ્યક્ત કર્યો હતો
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. મળતી માહિતી અનુસાર, હરિદ્વારથી ખોલા જઈ રહેલું પીકઅપ ગાડી ઝાડ સાથે અથડાયું, જેમાં 10 લોકોના મોત થયા. માહિતી મળતા જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે ડ્રાઇવરે નિદ્રા લેવાના કારણે આ અકસ્માત થયો હતો.
Uttar Pradesh: 10 died, 7 injured in road accident in Pilibhit district today.
— All India Radio News (@airnewsalerts) June 23, 2022
આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા
મળતી માહિતી મુજબ પીલીભીતના ગજરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પીકઅપ વાન ધડાકા ભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માત સવારે 4 વાગ્યાની આસપાસ થયો હતો. પીકઅપ ઝાડ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે નિદ્રા લીધી હતી જેના કારણે આ દુર્ઘટના થઈ હતી.આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી બેની હાલત ગંભીર છે. અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના લખીમપુર જિલ્લાના રહેવાસી છે, જેઓ હરિદ્વારથી સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા.
जनपद पीलीभीत में सड़क दुर्घटना में हुई लोगों की मृत्यु अत्यंत दुःखद है।
अधिकारियों को राहत व बचाव कार्य तेजी से संचालित करने तथा घायलों के उपचार हेतु निर्देश दिए गए हैं।
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्माओं को शांति व घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें।
CM યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે પીલીભીતમાં માર્ગ અકસ્માતમાં લોકોના મોત ખૂબ જ દુઃખદ છે. રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા અને ઘાયલોને સારવાર આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ મૃત આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના.