મહુવાઃ ભાવનગરના મહુવામાં VHP પ્રમુખ જયેશ ગુર્જરીયાની હત્યા બાદ સમગ્ર પંથકમાં વાતાવરણ તંગ બની ગયું છે. હત્યા બાદ વાતાવરણ તંગદીલી ભર્યુ બન્યું હતું અને તોફાનોની ઘટના બની હતી. ત્યારે મહુવાના તોફાન મામલે પોલીસ તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 21 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફરજ પર ગેરહાજર રહેતા જિલ્લા પોલીસ વડાએ નિર્ણય લીધો છે.
જેમાં ભાવનગરના 12 અમરેલીના 7 અને બોટાદના બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે હજુ ભાવનગરના 10 જેટલા હોમગાર્ડ સામે પણ કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.
મહત્વનું છે કે મહુવામાં ચાર યુવકો દ્વારા વીએચપીના પ્રમુખની હત્યા બાદ શહેરમાં અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે મહુવામાં કેટલીક દુકાનોને ટોળાએ તોડફોડ કરી હતી. કેડલીક બજારોમાં તોડફોડ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા 21 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.