ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આવતીકાલે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યાં છે. ધોનીએ ફેસબુક પેજ પર આ વાતની જાણ કરી હતી.
મહેન્દ્ર સિંહ ધોની આવતીકાલે કરશે મોટું એલાન
ધોનીએ શનિવારે ફેસબુક પેજ પર પોસ્ટ શેર કરી
કહ્યું રવિવારે લાઈવ આવીને એક ખાસ ન્યૂઝ શેર કરીશ
આઈપીએલમાંથી લઈ શકે નિવૃતી
ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોની આવતીકાલે એટલે કે 25 સપ્ટેમ્બરે એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી સંભાળી રહેલા ધોનીએ જાતે જ સોશિયલ મીડિયા પર આવતીકાલે (રવિવારે) બપોરે બે વાગ્યે ફેસબુક લાઈવ પર એક સમાચાર શેર કર્યા હતા.
ફેસબુક પર કહ્યું- રવિવારે લાઈવ આપીને મોટા સમાચાર આપીશ
એમએસ ધોનીએ પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કરીને લાઇવ આવવાની માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે માહી મોટી જાહેરાત કરી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની પોતાના ફેન્સ સાથે લાઈવ કનેક્ટ થવા જઈ રહ્યા છે. 25 સપ્ટેમ્બરે ધોની પોતાના ફેન્સ સાથે વાત કરશે અને આશા છે કે તે કોઇ મોટો નિર્ણય લેવા જઇ રહ્યો છે.એમએસ ધોનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે લાઇવ આવીશ અને આ માહિતી આપીશ. હું આશા રાખું છું કે તમે બધા ત્યાં હશો.
આઈપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી શકે
આવતીકાલે મોટા સમાચાર જાહેર કરવાની ધોનીની જાહેરાતની સાથે જ ચાહકોમાં તેને લઈને મોટી અટકળો લાગવા લાગી છે. ધોની આઈપીએલમાંથી નિવૃતીની અથવા બીજી કોઈ જાહેરાત કરી શકે છે. ઉલ્લેખીનીય છે ધોની ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવે છે અને તેના નાનામાં નાના સમાચાર ચાહકો જોતા રહેતા હોય છે અને હવે ધોનીએ આવતીકાલે મોટું એલાન કરવાની વાત કરતાં જ ચાહકોના ધબકારા વધ્યાં છે.