મહાત્મા ગાંધીની પ્રપૌત્રી આશિષ લતા રામગોબિનને 7 વર્ષની જેલની સજા સંભળાવી આ કોર્ટે. જાણો શું ગુનો નોંધાયો છે તેમની વિરુદ્ધ.
6.2 મિલિયન રેન્ડ(આફ્રીકન મુદ્રા) એટલે કે 3.22 કરોડ રુપિયાની છેતરપિંડીનો કેસ
મહાત્મા ગાંધીની પર પરપૌત્રીને 7 વર્ષની સજા
લતાએ રોકાણકારો સાથે ષડયંત્ર કર્યુ
મહાત્મા ગાંધીની પર પ્રપૌત્રીને 7 વર્ષની સજા
દક્ષિણ આફ્રીકાએ ડર્બનની એક કોર્ટના મહાત્મા ગાંધીની પર પ્રપૌત્રી આશિષ લતા રામગોબિન (Ashish Lata Ramgobin)ને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે 6.2 મિલિયન રેન્ડ(આફ્રીકન મુદ્રા) એટલે કે 3.22 કરોડ રુપિયાની છેતરપિંડી અને ષડયંત્રનો મામલામાં તેમની સંડોવણી સાબિત થતા તેમને ગુનેગાર ઠરાવ્યા છે.
બિઝનેસમેન એસઆર મહારાજને છેતર્યા
એક વેબસાઈટ અનુસાર 56 વર્ષીય આશીષ લત્તા રામગોબિન પર આરોપ છે કે તેમણે બિઝનેસમેન એસઆર મહારાજને છેતર્યા છે. એસઆર મહારાજે તેમને ભારતમાં હાજર એક કન્સાઈમેન્ટ માટે આયાત અને સીમા શુલ્ક તરીકે 6.2 મિલિયન રેન્ડ એડવાન્સમાં આપ્યા હતા. આશિષ લત્તા રામગોબિને તેમને નફામાં ભાગ આપવાની વાત કરી હતી.
કોણ છે આશીષ લત્તા રામગોબિન
આશીષ લત્તા રામગોબિન જાણીતા એક્ટિવિસ્ટ ઈલા ગાંધી અને દિવંગત મેવા રામગોવિંદની દીકરી છે. જેમણે દક્ષિણ આફ્રીકામાં પોતાના કાર્યકાળ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ફીનિક્સ સેટલમેન્ટને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
લતાએ રોકાણકારો સાથે આ પ્રકારનું ષડયંત્ર કર્યુ
2015માં લત્તા રામગોબિનની વિરુદ્ધ મામલામાં સુનવણી દરમિયાન રાષ્ટ્રીય અભિયોજન પ્રાધિકરણ (NPA)ના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ કહ્યુ હતુ કે આશીષ લત્તા રામગોબિનને સંભાવિત રોકાણકારોને કથિત રીતે ષડયંત્ર કરી અને દસ્તાવેજ આપ્યા હતા. જેના માધ્યમથી તે રોકાણકારોને જણાવી રહી હતી કે લિનનના 3 કન્ટેનર ભારત મોકલાવાઈ રહ્યા છે.
આ રીતે છેતરપિંડીની ખબર પડી
એનપીએના પ્રવક્તા નતાશાકારાએ સોમવારે જણાવ્યુ કે લત્તા રામગોબિને કહ્યુ હતુ કે તેમણે આયાત ખર્ચ અને બોર્ડર ફીની ચૂકવણી કરવા માટે નાણા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમણે બંદરગાહ પર સામાન ખાલી કરવા માટે પૈસાની જરુર હતી. આ બાદ લત્તા રામગોબિને મહારાજાને કહ્યુ કે તેમને 6.2 મિલિયન રેન્ડની જરુર છે. તેમને રાજી કરવા માટે આની સાથે જોડાયેલા દસ્તાવેજો પણ બતાવ્યા. જેમાં માલની ખરીદી સંબંધિત દસ્તાવેજો હતા. તેના એક મહિના બાદ ફરી લતા રામગોબિને એસઆર મહારાજને વધુ એક દસ્તાવેજ મોકલ્યો જે નેટકેર રસીદ હતી. જેનાથી ખબર પડી હતી કે માલ ડિલિવર થઈ ગયો છે અને તેમની ચૂકવણી નથી કરવામાં આવી.