મહારાષ્ટ્રના નંદુરબાર નજીકના એક ગામ પાસે એક બસનો અકસ્માત થયો છે. જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હતા. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 3 ડઝન લોકોનો ઘાયલ થયા છે.
ખામચુંદર ગામમાં બસ અકસ્માતના સમાચાર
આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે
35 લોકો ઘાયલ થયા છે
Five persons dead and around 35 injured after the bus they were travelling in fell into a gorge near Khamchoundar village in Nandurbar. The injured have been taken to a hospital. Rescue operation underway: Mahendra Pandit, SP Nandurbar. #Maharashtrapic.twitter.com/I0QYnrMisd
મહારાષ્ટ્રના નંદુરબાર સ્થિત ખામચુંદર ગામમાં મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર આવ્યા છે. અહીં પ્રવાસીઓ ભરેલી બસ એક ખાઈમાં પડવાથી ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. જ્યારે 35 લોકો ઘાયલ થયા છે.
આ ઘટનાના સમચાર વાયુ વેગે પ્રસરી જતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનીકો સહિત પોલીસકર્મીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનીકો પણ મદદમાં લાગ્યા છે. તેમજ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
નંદુરબારના પોલીસ અધિક્ષક મહેન્દ્ર પંડિતે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ઘાયલોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.