બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / maharashtra violence nanded stone pelting muslim

હિંસા / ત્રિપુરાની હિંસાના પડઘા પહોંચ્યા મહારાષ્ટ્ર: પોલીસ પર વિફરેલા ટોળાનો પથ્થરમારો, જાણો શું છે મામલો

Kavan

Last Updated: 10:23 PM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત બંધના એલાને મહારાષ્ટ્રના નાંદેડમાં હિંસક સ્વરૂપ લીધું છે.

  • મહારાષ્ટ્રના નાંદેડમાં હિંસક સ્વરૂપ
  • પોલીસ વાહન પર કરાયો પથ્થરમારો
  • દુકાનો કરાવાઈ બંધ

સ્થાનિકો દ્વારા જબરદસ્તી દૂકાનો બંધ કરાવવામાં આવી અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો કે, બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસમાં જોતરાયો હતો. આ ઘટનાથી શિવાજીનગર વિસ્તારમાં કેટલાક સમય સુધી તણાવનો માહોલ જોવા મળ્યો હતો. 

ત્રિપુરા ઘટનાના વિરોધમાં આ ઉગ્ર પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે, ત્રિપુરા ઘટનાના વિરોધમાં આ ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નાંદેડમાં મુસ્લિમ સંગઠનોએ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ થોડા સમયમાં જ આ પ્રદર્શન હિંસક બન્યું અને દુકાનોને પણ બંધ કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં રસ્તા પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસના વાહનોને આગચંપી પણ કરી હતી. 

હિંસાનું કારણ ત્રિપુરા 

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ભડકેલી આ હિંસા ત્રિપુરામાં મચેલ બબાલના કારણે છે. તાજેતરમાં જ ત્રિપુરામાં મોટા પાયે સાંપ્રદાયદિક હિંસા જોવા મળી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા બાદ ત્રિપુરામાં માહોલ ગંભીર બન્યો હતો. મુસ્લીમ સંગઠનોને આરોપ છે કે, ત્યાં તેમને ધમકી આપવામાં આવી રહી છએ અને હુમલા થઈ રહ્યા છે. રિપોર્ટ તો એવો પણ આવ્યો કે, મસ્જિદોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને તોડફોડ કરવામાં આવી હતી પરંતુ પોલીસે તપાસ કરવાનો નનૈયો ભણ્યો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ