મહારાષ્ટ્રમાં સમયાંતરે સાધુઓ સાથે મારપીટની ઘટનાઓ આવતી રહે છે. તાજેતરમાં જ સાંગલીમાં એક ગામના લોકોએ 'બાળ ચોરી'નો આરોપ લગાવીને સાધુને ઝૂડી નાખ્યા હતા.
મહારાષ્ટ્રમાંથી ફરી એક વાર સાધુ સાથે અત્યાચારની ઘટના સામે આવી
બાળક ચોર ગેંગ હોવાનું સમજી ગામ લોકોએ ધોકાવાળી કરી
ભાષા નહીં સમજાતા હોબાળો થયો, પોલીસ વચ્ચે પડી
મહારાષ્ટ્રમાં સમયાંતરે સાધુઓ સાથે મારપીટની ઘટનાઓ આવતી રહે છે. તાજેતરમાં જ સાંગલીમાં એક ગામના લોકોએ 'બાળ ચોરી'નો આરોપ લગાવીને સાધુને ઝૂડી નાખ્યા હતા. આ ઘટના મંગળવારની છે. પોલીસના જણાવ્યા અનુસાર ચાર સાધુઓ ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી છે અને એક કર્ણાટકના બીઝાપુરથી પંઢરપુર દર્શન માટે જઈ રહ્યા હતા. પોલીસે કહ્યું કે, સાધુઓએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી, એટલા માટે કોઈ FIR કરાઈ નથી.
ગાડીમાંથી ઉતારી સાધુઓને માર્યા
આ ઘટના સાંગલીના જાટ તાલુકાના લવંગા ગામની છે. જ્યારે ઉત્તર પ્રદેશના રહેવાસી ચાર સાધુ એક કારમાં કર્ણાટકના બીઝાપુરથી મંદિર શહેર પંઢરપુર તરફ જઈ રહ્યા હતા. સોમવારે ગામના એક મંદિરમાં તેઓ રોકાયા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યુ હતું કે, મંગળવારે યાત્રા ફરીથી શરુ કરતી વખતે તેમણે એક છોકરા પાસે જવા માટેનો રસ્તો પુછ્યો, તેનાથી ગામ લોકોને શંકા ગઈ કે આ લોકો બાળકોના અપહરણ કરનારી ગેંગ છે. ત્યાર બાદ ગામલોકોએ તેમને ગાડીમાંથી ઉતારીને સાધુઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, સાધુ હકીકતમાં ઉત્તર પ્રદેશના એક અખાડાના સભ્યો હતા.
Maharashtra: Monks attacked in Sangli on suspicion of being child-lifters, police probe underway
મીડિયા રિપોર્ટ અનુસાર, રસ્તે પસાર થતી વખતે એકબીજાની ભાષા ન સમજાતા મામલે બગડ્યો અને સ્થાનિક લોકોએ સાધુઓે સાથે મારપીટ કરી
મહારાષ્ટ્રના પાલઘરમાં 2020માં બે સાધુઓની હત્યા કરી દીધી હતી
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં સાધુઓ સાથે અત્યાચારની આ પ્રથમ ઘટના નથી, આ અગાઉ પણ 2020માં પાલઘરમાં ગઢચિંચાલે ગામમાં ભીડે બાળક ચોર હોવાનું સમજીને બે સાધુઓની હત્યા કરી નાખી હતી.