મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ભોસે ગામનું 400 વર્ષ જૂના બરગદનું વૃક્ષ આજકાલ સોશ્યિલ મિડિયા પર ચર્ચામાં રહ્યું છે. નવો બની રહેલો હાઈવે આ સર્વિસ રોડની પાસેથી પસાર થઈ રહ્યો છે. આ માટે આ વૃક્ષને કાપીને રોડ બનાવવામાં આવી રહ્યો હતો. આ સમયે પર્યાવરણવાદી કાર્યકર્તાઓએ તેનો સખત વિરોધ કર્યો અને આખરે આદિત્ય ઠાકરેના આદેશથી નિતિન ગડકરીએ હાઈવેના નક્શામાં ફેરફાર કર્યો. વૃક્ષને તેની મૂળ જગ્યાએ જ રાખવાનો નિર્ણય કરાયો.
400 વર્ષ જૂના બરગદના વૃક્ષને બચાવાયું
આદિત્ય ઠાકરેના નિર્ણયથી નિતિન ગડકરીને મળી સૂચના
વૃક્ષ બચાવવા માટે હાઈવેના નક્શામાં કરાયો ફેરફાર
વૃક્ષને તેની જગ્યાએથી હટાવવા અંગેના વધતા વિરોધને ધ્યાનમાં રાખીને રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને માહિતી મળી. તો તેઓએ તરત જ એક્શન લીધું અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે વાત કરીને વૃક્ષને તેમ જ રાખવાની માંગણી કરી. આદિત્ય ઠાકરેની માંગણીને ધ્યાનમાં રાખીને વૃક્ષને તો બચાવી લેવાયું પણ હાઈવેના નક્શામાં ફેરફાર કરાયો અને સાથે જ તે પ્રોજેક્ટને પૂરો કરવાનો આદેશ અપાયો.
ગડકરીએ જૂના વૃક્ષને બચાવવાનો કર્યો આગ્રહ
અત્યારે બની રહેલા રત્નાગિરી-નાગપુર હાઈવે નંબર 166 સાંગલી જિલ્લાના ભોસે ગામની પાસેથી પસાર થઈ રહ્યો છે. સાંગલીના પર્યાવરણવાદી કાર્યકર્તાઓએ વૃક્ષ કાપવાનો વિરોધ કર્યો હતો. સોશ્યિલ મીડિયા પર આ વિરોધ એટલો ફેલાયો કે રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ તેમાં દખલ કરવી પડી. તેઓએ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીને આદેશ આપ્યા અને વૃક્ષને બચાવવા કહ્યું. ગડકરીએ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે વાત કરી અને સાથે આ હાઈવેના નક્શામાં ફેરફાર કરીને 400 વર્ષ જૂના બરગદના વૃક્ષને બચાવવા કહ્યું અને આખરે એ વૃક્ષ બચી ગયું.