મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વધી રહ્યું છે. જેને જોતા રાજ્ય સરકારે વર્ધા જિલ્લામાં સ્કુલ કોલેજને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
ખતરાને જોતા ગાઈડલાઈન જારી કરી
સરકારે વર્ધા જિલ્લામાં સ્કુલ કોલેજને બંધ કરવાનો આદેશ આપ્યો
યવતમાલમાં 28 ફેબ્રુઆરી સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે
ખતરાને જોતા ગાઈડલાઈન જારી કરી
ઉલ્લેખનીય છે કે ગુરુવારે કોરોનાના 5427 નવા કેસ આવ્યા છે. જે આ વર્ષના સૌથી વધારે આંકડા છે. મહારાષ્ટ્રના 8 જિલ્લામાં કોરોના વાયરસના નવા મામલા અચાનક વધી ગયા છે. વધી રહેલા ખતરાને જોતા ગાઈડલાઈન જારી કરી છે.
યવતમાલમાં 28 ફેબ્રુઆરી સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે.
ગત 24 કલાકમાં 736 નવા કેસ આવ્યા છે. જેને પગલે બીએમસીએ નવી ગાઈડલાઈન જારી કરી છે. હવે હોમ ક્વોરેન્ટાઈનના નિયમ તોડનાર સામે કડકાઈથી કામ લેવામાં આવશે. જે સોસાયટીમાં કોરોનાના 5થી વધારે કેસ આવશે તેને સીલ કરી દેવાશે. વિદર્ભના યવતમાલમાં 28 ફેબ્રુઆરી સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે.
આ છે બીએમસીની ગાઈડ લાઈન
સોસાયટીમાં કોરોનાના 5થી વધારે કેસ આવશે તેને સીલ કરી દેવાશે
હોમ ક્વોરેન્ટાઈનના નિયમ તોડનાર સામે કેસ થશે
હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિના હાથ પર સ્ટેમ્પ લાગશે
લગ્ન કે ઉત્સવમાં 50થી વધારે લોકો ભેગા થવા પર કેસ થશે
લોકલમાં વગર માસ્કે ચાલનારા લોકો પર નજર રાખવા 300 માર્શલ નિયુક્ત કરાશે
નિયમ તોડનાર મેરેજ હોલ, રેસ્ટોરન્ટ ક્લબ વગેરે પર રેડ પડશે
બ્રાઝિલથી આવનારને ફરજિયાત ક્વોરેન્ટાઈન રહેવું પડશે
જે વિસ્તારોમાં વધારે કેસ આવી રહ્યા છે ત્યાં ટેસ્ટની સંખ્યા વધારાશે
મુંબઈની શું છે સ્થિતિ
મુંબઈમાં 18 ફેબ્રુઆરીએ 736 નવા કેસ 4ના મોત, 17 ફેબ્રુઆરીએ 721નવા કેસ 3 નામોત, 16 ફેબ્રુઆરીએ 461 નવા કેસ3 ના મોત, 15 ફેબ્રુઆરીએ 493 નવા કેસ 3ના મોત, 14 ફેબ્રુઆરીએ 645નવા કેસ 4ના મોત. મુંબઈમાં 3.16 લાખની ઉપર પહોંચી ગઈ છે. જ્યારે 14,32 લોકોના મોત થયા છે.
મહામારીથી 51, 669 લોકોના જીવ ગયા છે
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોવિડ 19ના 5427 નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યાં 20, 81, 520 થઈ ગઈ છે. ત્યારે મહામારીથી આજે 38 દર્દીઓના જીવ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ મહામારીથી 51, 669 લોકોના જીવ ગયા છે.
ગત અઠવાડિયામાં અમરાવતીમાં 3 હજાર નવા કેસ આવી ચૂક્યા છે
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધતા ઉદ્ધવ ઠાકરે સરકારે આજે સવારે ડે. સીએમ અજીત પવાર સાથે ચર્ચા કરી. કેસ વધતા યવતમાલમાં 28 ફેબ્રુઆરી સુધી લોકડાઉન રહેશે. ગત અઠવાડિયામાં અમરાવતીમાં 3 હજાર નવા કેસ આવી ચૂક્યા છે. અમરાવતીમાં કોવિડ 19ના મામલમાં વુદ્ધિને ધ્યાનમાં રાખી ગુરુવારે જિલ્લા પ્રશાસનના સપ્તાહમાં લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી છે. લોકડાઉન શનિવારની રાતે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી રહેશે અને આ દરમિયાન બજાર અને અન્ય પ્રતિષ્ઠાન બંધ રહેશે. જો કે જરુરી સેવાઓને અસર નહીં પડે. જિલ્લાધિકારી શૈલેશ નવલે કહ્યું કે અઠવાડીયા પછી બાકી દિવસ હોટેલ અને રેસ્ટોરા સહિતની તમામ પ્રતિષ્ઠાન રાતના 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. પહેલા આ રાત 10 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા.
સપ્તાહાંતમાં લોકડાઉન દરમિયાન તમામ બજારો અને અન્ય પ્રતિષ્ઠાન બંધ રહેશે
કોવિડ -19મામલામાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને મે જિલ્લામાં અઠવાડિયાના અંતમાં લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. હું લોકોને અપીલ કરુ છું કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના કડક લોકડાઉનથી બચવા માટે કોવિડ સંબંધી યોગ્ય વર્તનનું પાલન કરો. તેમણે કહ્યું કે સપ્તાહાંતમાં લોકડાઉન દરમિયાન તમામ બજારો અને અન્ય પ્રતિષ્ઠાન બંધ રહેશે. તેમણે કહ્યું કે સ્વિમિંગ પુલ અને ઈન્ડોર ગેમ પણ બંધ રહેશે. જ્યારે ધાર્મિક કાર્યક્રમોમાં ફક્ત 5 લોકોને પરવાનગી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં એક વાર ફરી કોવિડ મામલામાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
અકોલામાં મંગળવારે 67 નવા કેસ આવ્યા હતા. જ્યારે બુધવારે આંકડા 10થી 5 થઈ ગયા હતા. અકોલા પ્રશાસને નિર્ણય કર્યો છે કે સ્કૂલોમાં 5માં ધોરણથી 9માં ધોરણ સુધી વિદ્યાર્થીઓને સ્કુલે નહીં બોલાવાય. જે મોલ, હોટલ, રેસ્ટોરન્ટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થયા તેમના પર કડક પગલા ભરવામાં આવશે. અકોલામાં અત્યાર સુધી કોરોનાથી 372 મોત થયા છે. હાલ 900 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત અકોલામાં લગ્ન પ્રસંગ રાતના 10 વાગ્યા સુધીમાં સમાપ્ત કરી દેવો પડશે.