ભાજપના માતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કર્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે તેમનો RSSએ સંપર્ક કર્યો, પરંતુ તેમણે ભાજપ સાથે ફરીથી હાથ મેળવવા મામલે વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે, હવે સમય જતો રહ્યો છે.
ધારાસભ્યોની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેનું નિવેદન
RSSએ અમારો સંપર્ક કર્યોઃ ઉદ્ધવ ઠાકરે
પવારને ખુશ કરવા આવું નિવેદન કરી રહ્યાં છેઃ RSS
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમણે RSSને જવાબ આપ્યો કે હવે ભાજપ વીશે વિચારવાનો સમય વિતી ચૂક્યો છે. શરદ પવારને અમારા પર અને અમને શરદ પવાર ભરોસો પર છીએ. ત્રણેય પક્ષ મળીને આ લડાઇ જીતીશું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ આ દાવો તે સમયે કર્યો, જ્યારે તેઓ લલિત હોટલમાં પોતાના ધારાસભ્યોને સંબોધિત કરી રહ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર RSSએ વળતો જવાબ આપ્યો છે. RSSએ કહ્યું કે, માત્ર માહોલ બનાવવા આવી વાતો થઇ રહી છે. RSSએ કહ્યું કે, આ વાત બહુ જ પહેલા કરી હતી અને હવે ઉદ્ધવ શરદ પવારને ખુશ કરવા માટે આવું બોલી રહ્યા છે.
રવિવારે ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારની હાજરીમાં હોટલ રેનેસાંમાં એનસીપી ધારાસભ્યોની સાથે બેઠક કરી અને કહ્યું કે શિવસેના અને એનસીપીનો સાથ લાંબો ચાલશે અને આ બન્ને પાર્ટીઓ કોંગ્રેસની સાથે મળીને મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપશે.
આ પહેલા રવિવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ, એનસીપી, શિવસેનાની અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલતા દેવેન્દ્ર ફડણવીસ સરકાર અને રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવાના આમંત્રણ અને ફડણવીસ દ્વારા રાજ્યપાલને સોંપવામાં આવેલ ધારાસભ્યોના સમર્થન પત્રને સોમવારે રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટ સોમવાર સવારે 10:30 કલાકે આ મામલે ફરી સુનાવણી કરશે.