બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઉલ્લેખનીય મહારાષ્ટ્રના 34 જિલ્લાઓની 12,711 ગ્રામ પંચાયત બેઠક પર ચૂંટણી યોજાઇ હતી, જેનું પરિણામ ગત દિવસે જાહેર કરાયું હતું. જો કે મંગળવારે સવારના આંકડા મુજબ...

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા ચાલી રહેલ મહા વિકાસ અઘાડીના ગઠબંધન સરકાર સામે આવેલ આ મોટો રાજકીય પડકાર હતો. જેમાં જો કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઠબંધનના પરિણામોને જોઇએ તો અંદાજે સાત હજાર બેઠક પર જીત મેળવી છે. જો કે ભાજપનો દાવો છે કે તેમના સમર્થન કેટલાંક અપક્ષોને મોટી જીત મળી છે.
ADVERTISEMENT
.jpg)
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 34 જિલ્લામાં 12,711 ગ્રામ પંચાયતોમાં શુક્રવારે યોજાયેલ ચૂંટણીમાં 79 ટકા મતદાન થયું હતું. રાજ્યની ગ્રામ પંચાયતમાં 31 માર્ચ 2020ની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ કોરોનાના કારણે 17 માર્ચ 2020ના રોજ ચૂંટણી કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો. ત્યાર બાદ પંચાયત ચૂંટણીની જાહેરાત ડિસેમ્બરમાં થઇ હતી.
ADVERTISEMENT
પંચાયત ચૂંટણીના પરિણામોને લઇને શિવસેનાના મુખપત્ર સામનામાં પણ ભાજપ પર પલટવાર કરવામાં આવ્યો છે. શિવસેનાએ લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ હવે સમજી જવું જોઇએ કે રાજ્યમાં ભાજપના સાથી ED, CBI અને IT વિભાગ રાજકીય જીત ન અપાવી શકે. શિવસેનાએ લખ્યું BJP તરફતી સતત મહા વિકાસ અઘાડી સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જનતાએ એકવાર ફરી મત આપી પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું.
સામનાના તંત્રી લેખમાં શિવસેનાનો કટાક્ષ
સામનાના તંત્રી લેખમાં શિવસેનાએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. તંત્રી લેખમાં લખ્યું છે કે ED, CBI અને આવકવેરા વિભાગને ભાજપના કાર્યકર ગણાવ્યાં છે. મહાવિકાસ અઘાડી સરકારને જનતાનું સમર્થન છે. ED, CBI અને ITના કાર્યકર્તાઓનો હાથ પકડીને મહારાષ્ટ્રમાં રાજનૈતિક ક્રાંતિ ન કરી શકાય. મહારાષ્ટ્રની માટી કંઇક અલગ છે, જનતા ધૂળ ચટાવી દેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.