મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. ભાજપે રાજ્યપાલ સાથે મળીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ એકલા સરકાર નહીં બનાવી શકે કારણ કે તેમની પાસે જરૂરી સંખ્યા નથી. ગઇકાલે રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે પૂછ્યું હતું. હવે રાજ્યપાલ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે. કોંગ્રેસ ધારાસભ્યોએ શિવેસનાને સમર્થન આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે અમારી કોંગ્રેસ સાથે કોઇ દુશ્મની નથી. ત્યારે એનસીપીએ પણ કહ્યું કે શિવસેનાએ અમારું સમર્થન માગ્યું છે.
શિવસેના NDAથી અલગ થાય: NCP
મહારાષ્ટ્રને શિવસેનાના CM મળશે: રાઉત
મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર નહીં બનાવેઃ ચંદ્રકાન્ત પાટીલ
શિવસેનાને સમર્થ કોંગ્રેસ માટે આપઘાત સમાન: સંજય નિરૂપમ
રાજ્યપાલે પૂછ્યું- સરકાર બનાવવા તૈયાર શિવસેના?
મહારાષ્ટ્રમાં નવો રાજકીય વળાંક આવ્યો છે. સરકાર બનાવવાને લઇને ભાજપની મનાઇ બાદ હવે રાજ્યપાલે બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવા માટે પૂછ્યું છે. રાજભવન તરફથી રજૂ કરવામાં આવેલ પત્રમાં કહેવામાં આવ્યું છે કે શું શિવસેના સરકાર બનાવવા માંગે છે. આ પહેલા ભાજપને આ વાત પૂછવામાં આવી હતી પરંતુ ભાજપે સંખ્યાબળ ન હોવાનું કહી એકલા સરકાર બનાવવાની મનાઇ કરી દીધી હતી. મહારાષ્ટ્ર ચૂંટણીમાં કોઇ એક પાર્ટીને બહુમત નથી મળી અને ભાજપ-શિવસેનાના ગઠબંધનને જનતાએ બહુમતિ આપી છે.
સમર્થન માટે NCPએ રાખી શરતો
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય જંગ પર જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઇ. ત્યારે એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે 12 નવેમ્બરે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. તેમણે કહ્યું કે જો રાજ્યપાલ શિવસેનાને સરકાર બનાવવા માટે બોલાવે છે તો અમે પોતાના આગામી નિર્ણય પર વિચાર કરીશું. મલિકે કહ્યું કે અંતિમ નિર્ણય કોંગ્રેસ અને એનસીપીની સહમતિ બાદ જ લેવામાં આવશે, જેમ કે પવાર સાહેબ પહેલા કહી ચૂક્યા છે.
વધુમાં મલિકે કહ્યું કે શિવસેનાએ અમારું સમર્થન માગ્યું છે. ત્યારે પહેલા શિવસેના NDAથી અલગ થાય. તેમણે કેન્દ્ર સરકારમાંથી શિવસેના અલગ થવું પડશે. અમે શિવસેનાને અમારૂ સમર્થન જોઇતું હોય તો તેમણ ભાજપ સાથે તમામ સંબંધ પૂર્ણ કરવા પડશે.
મહારાષ્ટ્રને શિવસેનાના CM મળશે: રાઉત
એક બાજુ ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવાની વાત કરી છે. મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે ભાજપ સરકાર નહીં બનાવે. તો ભાજપની આ નિવેદન બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રને શિવસેનાના જ સીએમ મળશે. આગામી દિવસોમાં સીએમ શિવસેનાના હશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે સીએમ શિવસેનાનો હશે.
મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર નહીં બનાવેઃ ચંદ્રકાન્ત પાટીલ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇ રાજકારણ વધુને વધુ ગરમાતું જઇ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપ અને શિવસેના વચ્ચે સીએમ પદને લઇ ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે આજે ભાજપની કોર ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપે સરકાર ન બનાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર નહીં બનાવે. આ પહેલા તેઓ રાજ્યપાલ ભગતસિંઘ કોશ્યારીને મળ્યા હતા. તેમના કહેવા પ્રમાણે શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે ભાજપ અને શિવસેનાને જનાદેશ મળ્યો હતો જેથી સાથે મળીને કામ થઇ શકે પરંતુ શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. જો તેઓ કોંગ્રેસ અને NCP સાથે મળીને સરકાર બનાવવા માગતા હોય તો અમારી તેમને શુભેચ્છા છે.
શિવસેનાને સમર્થ કોંગ્રેસ માટે આપઘાત સમાન: સંજય નિરૂપમ
મહારાષ્ટ્રમાં ચારો પ્રમુખ પાર્ટીઓ પોત-પોતાની રણનીતિ બનાવવામાં લાગી છે. શિવસેનાને ટેકો આપવા મુદ્દે કોંગ્રેસ પણ બે ભાગમાં વહેંચાઇ છે. કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે કહ્યું કે શિવસેનાને સમર્થ કોંગ્રેસ માટે આપઘાત સમાન છે. કોંગ્રેસ-NCPની સરકાર શિવસેના વિના બને જ નહીં. જો સરકાર બનાવવા માટે શિવસેનાનું સમર્થન થાય તો કોંગ્રેસને નુકસાન થશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના મતથી વિરુદ્ધ સંજય નિરૂપમનો મત છે. સંજય નિરૂપમે કહ્યું કે અમારા નેતાઓને શિવસેનાનું સમર્થ કરવું છે પરંતુ તે જોખમી છે. શિવસેના અને કોંગ્રેસ બે અસમાન ધ્રુવ છે.