મહારાષ્ટ્રમાં 1 ડિસેમ્બરથી અત્યાર સુધી કોરોનાથી થયેલા કુલ મોતમાં 68 ટકા એવા લોકો હતા જેમણે કોરોના વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહોતો. આ તમામ આંકડા રાજ્ય સરકાર દ્વારા ચલાવાઈ રહેલી મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલના આંકડા છે.
શું થયું મહારાષ્ટ્રમાં
1 ડિસેમ્બર 2021થી 18 જાન્યુઆરી 2022 સુધી એમ લગભગ દોઢ મહિનામાં કોરોનાને કારણે જેટલા મોત થયા હતા તેમાં 68 ટકા લોકોએ વેક્સિન લીધી જ નહોતી એટલ કે વેક્સિન ન લેનાર લગભગ 68 ટકા લોકોના મોત કોરાનાને કારણે થયા તેથી હવે વેક્સિન વગર રહેવું સુરક્ષિત નથી તે વાત સાબિત થઈ છે. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર સુનીત કુમાર સિંહે જણાવ્યું કે કોરોના વેક્સિન લેવાથી જુની ખાંસી, વાયરલ તાવ, ફ્લૂ સહિતની બીજી કેટલીક બીમારીઓ પણ મટી શકે છે. કેટલાક કિસ્સામાં ગંભીર બીમારીઓ પણ મટી શકવાનું તેમણે જણાવ્યું છે.
વેક્સિન માનસિક બીમારીઓ પણ મટાડતી હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો
યુનિવર્સિટી ઓફ સધર્ન યુનિવર્સિટીના સંશોધકોએ તેમના સંશોધનમાં શોધી કાઢ્યું હતું કે કોરોના વેક્સિન રસી માત્ર કોરોના વાયરસ સામે જ રક્ષણ આપતી નથી પરંતુ કેટલીક માનસિક બીમારીઓ પણ મટાડી શકે છે.
વેક્સિન લેનાર લોકોને ચિંતા, હતાશા, તણાવમાં મળશે રાહત
આ સંશોધનમાં આઠ હજાર લોકો સામેલ હતા, જેમને રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો. તેમના મતે, રસીકરણથી ટોળાની રોગપ્રતિકારક શક્તિના વિકાસે લોકોમાં ચિંતા, હતાશા, તણાવ ઘટાડવામાં ઘણો ફાળો આપ્યો હતો. એટલે કે આ રસી માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી સારી અસર બતાવી રહી છે.ઉધરસ, શરદી અથવા ફલૂ જેવા લક્ષણો માત્ર ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના વાયરસથી જ નહીં, પરંતુ બે પ્રકારના આલ્ફા કોરોનાવાયરસ NL-63, 229-e અને બીટા કોરોનાવાયરસની બે પ્રજાતિઓ OC-43 (OC-43) અને HKU- દ્વારા પણ થાય છે.
વેક્સિન વગર રહેવું સુરક્ષિત નથી
સ્ટેટ કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ ડોક્ટર સંજય ઓકે જણાવ્યું કે આ આંકડા પરથી સ્પસ્ટ થયું છે કે હવે વેક્સિન વગર રહેવું સુરક્ષિત નથી અને તેથી તેમણે બધા લોકોને કોવિડ વેક્સિન લઈ લેવાનો આગ્રહ રાખ્યો હતો. મહારાષ્ટ્રના આંકડા ખરેખર ચિંતાજનક છે અને લોકોએ તેને ધ્યાનમાં લેવા જોઈએ તેવું તેમણે જણાવ્યું છે.